બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Archives / news_detail-22781

NULL / અમિતાભે જન્મદિવસ પર કેક કાપ્યો નહિ કહ્યું આ પ્રથા નાબૂદ થાય

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

બોલીવુડમાં આજે વિજ્યાદશમીની સાથે સાથે મહાનાયક અમિતાભ બચ્ચનનો જન્મદિવસ પણ હતો. ઘણી ફિલ્મોમાં અમિતાભે વિજય નામનું પાત્ર ભજવ્યું છે પોતાના ફેન્સ અને મીડિયા સાથે પોતાના જન્મદિવસની ખુશી વહેંચી હતી. આ પ્રસંગે બચ્ચને સ્પેશ્યિલ જ્યુકબોક્સ સહિત અનેક ભેટ તેમના ફેન્સે આપી હતી. બીગ બીએ પોતાના ફેન્સના પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા.


અમિતાભ બચ્ચને પોતાના બર્થડે પર આવેલો મોટો પિન્ક કેક કાપ્યો નહોતો. તેમણે કહ્યું કે તે પહેલા કેક કાપતા હતા પરંતુ હવે તે કેક કાપતા નથી. તેમણે કહ્યું કે 'આપણે કેકની પ્રથા બંધ કરવી જોઈએ તેને બંધ કરવા કહ્યું છે કેમ કે આપણને ખબર નથી કે કેક શા માટે લાવવામાં આવે છે. કેક જ કેમ લાવવામાં આવે છે? એના પર મીણબત્તી કેમ લગાવવામાં આવે છે? તેને કમ સળગાવવામાં આવે છે? સળગાવ્યા પછી તેને ઓલવવાનું કહેવામાં આવે છે. ઓલવ્યા બાદ એક ખૂંખાર છરી આપવામાં આવે છે પછી તેને કાપીને ટૂકડા પાડવામાં આવે છે. પછી તે ટૂકડા કોઈને ખવડાવાવમાં આવે છે. હવે એક નવી પ્રથા શરૂ થઈ છે કે કેકને લઈને વ્યક્તિના મોઢા ઉપર ચોપડવામાં આવે છે. શા માટે કરવામાં આવે છે આ બધું આપણને સમજાતું નથી.'

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ