ઇન્દોરના હોલકર મેદાન પર રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતે ત્રણ વિકેટના નુકસાને 306 પર બની ગયા છે. અજિંક્યા રહાણે સદી ફટકારી હતી જે તેના કેરિયરની આઠમી સદી છે. તેણે 210 રનમાં સદી ફટકારી હતી. આ સિવાય કેપ્ટન વિરાટ કોહલીએ 121 રન બનાવીને રમતમાં છે. બંને બેટ્સમેનોની શાનદાર બેટિંગને લીધે ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. કહોલી અને રહાણે વચ્ચે અત્યાર સુધી 200થી વધારે રનોની ભાગીદારી બની ચૂકી છે.
ઇન્દોર ટેસ્ટ મેચના પહેલો દિવસ ટીમ ઇન્ડિયાને નામે રહ્યો હતો. શરૂઆતમાં કેટલીક વિકેટો ઝડપથી પડી ગઈ હોવા છતા કેપ્ટન કોહલી અને રહાણે બાજી સંભાળી લીધી હતી. અને એક મોટા સ્કોર સુધી ભારતીય ટીમને લઈ ગયા હતા. કોહલીએ પોતાના કરિયરની 13મી ફટકારી હતી.