લગભગ 68 દિવસો સુધી જૈન સમાજના પવિત્ર ચતુર્માસ દરમિયાન ધાર્મિક વ્રત રાખનારી હૈદરાબાદની એક 13 વર્ષની કિશોરીનું મોત થયું છે. 8મા ધોરણમાં અભ્યાસ કરતી આરાધના નામની આ યુવતી પોતાના 10 સપ્તાહ લાંબા ચાલનારા વ્રત 3 ઓક્ટોબરે તોડ્યો હતો. વ્રત પૂરો થયા બાદ તેના ઘર પર પારણાનો પર્વ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો. આ ઉત્સવમાં તેલંગાનાના એક મંત્રી પદ્મા રાવ પણ શામેલ થયા હતા.
વ્રત પૂરો કર્યા બાદ આરાધનાને ડિહાડ્રેશનને કારણે તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ ઘણા દિવસો સુધી ભૂખ્યા રહેવાને કારણે તે કોમામાં સરી પડી હતી. ડોક્ટરોનું કહેવું હતું કે આટલા લાંબા સમય સુધી ભુખ્યા રહેવાને કારણે આરાધનાના આંતરડા સુકાઈ ગયા હતા અને કિડનીને ગંભીર નુકસાન થયું હતું. જોકે ડોક્ટરોનું એ પણ કહેવું છે કે આરાધનાને મૃત અવસ્થામાં હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.