ગુનેગારોને ટ્રેક કરવા માટે મધ્યપ્રદેશની પોલીસ હવે આધાર કાર્ડનો સહારો લઈ રહી છે. અપરાધીઓ અને તેઓના ક્રિમિનલ રેકોર્ડની જાણકારી માટે પોલીસ તેઓનો આધાર નંબર ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક સિસ્ટમમાં લિન્ક કરવા જઈ રહી છે.
પોલીસી રાજ્ય સરકારને આ પ્રક્રિયા માટે પરવાનગી માંગી છે. પોલીસનું માનવું છે કે આનાથી અપરાધીઓનો સંપૂર્ણ રેકોર્ડ સામે આવશે એટલું જ નહિ એ લોકોની પણ ભાળ મળશે જેઓ ખોટી રીતે પાસપોર્ટ માટે અપ્લાય કરતા હોય છે.
એસપી પોલીસ હેડક્વાટર અનિલ માહેશ્વરીએ કહ્યું છે કે આધાર નંબર લિન્ક કરવાથી અપરાધીઓની ઓળખ આસાન થઈ જશે. હાલમાં અપરાધીઓની ઓખળ કરવામાં મુશ્કેલી ઊભી થાય છે. કેમ કે એક જ નામની અનેક વ્યક્તિઓ મળતી હોય છે. એવામાં દરવાજો ખખડાવીને કોઈની ઓખળ કરી શકાય એમ નથી. તેમણે કહ્યું કે નકલી પાસપોર્ટ માટે અપ્લાય કરતી વખતે પણ જાણ થઈ શકશે.