ઉરીમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં સર્જિકલ સ્ટ્રાઇકથી ઇલાજ કરવા બદલ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદીના વખાણ કર્યા છે. કેજરીવાલે કહ્યું છે કે તે આ મુદ્દે સંપૂર્ણ રીતે વડાપ્રધાનની સાથે છે.
કેજરીવાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને આ મુદ્દે પીએમ મોદી સાથે હોવાનું જણાવ્યું હતું અને તેમને સલામ કહ્યા હતા. સીએમ કેજરીવાલે કહ્યું છે કે પાકિસ્તાનને ગભરાટમાં ગંદું રાજકારણ શરૂ કરી દીધું છે. કેજરીવાલે પીએમ મોદીને પાકિસ્તાનને જવાબ આપવા જણાવ્યું છે.