એરફોર્સના ટ્રેનર વિમાન જગુઆર સોમવારે રાજસ્થાનના પોખરણમાં ક્રેશ થયું છે. મળતી માહિતી પ્રમાણે બંને પાયલટોને વિમાનથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. એએનઆઈના હવાલા પ્રમાણે એરફોર્સનું જગુઆર વિમાન પોખરણમાં ટ્રેનિગ મિશન પર હતું. ભારતીય વાયુસેના તરફથી ક્રેશ મામલામાં કોર્ટ ઓફ ઇન્કવાયીનો આદેશ આપવામાં આવ્યો છે. ડિફેન્સના પ્રવક્તા લેફ્ટનંટ કર્નલ મનીષે બતાવ્યું છે કે આ અકસ્માત ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે થયો છે. અકસ્માત સમયે વિમાન નિયમિત પ્રશિક્ષણ ઉડાન પર હતી.
જગુઆરને લઈને આ પહેલો અકસ્માત નહોતો. આ પહેલા પણ આવા અકસ્માતો થઈ ચૂક્યા છે. પાછલા મહિનામાં હરિયાણાના અંબાલામાં સેનાના જગુઆર વિમાનમાં ટેકઓફ દરમિયાન આગ લાગી ગઈ હતી. આગ લાગવાના કારણની જાણ થઈ શકી નથી.