ભારતીય બેટસમેનોનો ફલોપ શૉ બીજી ઇનિંગ્સમાં પણ જોવા મળ્યો જેના કારણે ન્યૂઝીલેન્ડી ટીમે ચોથા દિવસે 10 વિકેટ પરાજય આપ્યો છે. ન્યૂઝીલેન્ડની ટીમે બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની સરસાઇ મેળવી લીધી છે.
ટેસ્ટ શ્રેણીમાં ન્યૂઝીલેન્ડ 1-0થી આગળ
બંને ઇનિંગ્સમાં સુકાની કોહલી ફલોપ
ભારતીય બેટસમેનોનું કંગાળ ફોર્મ
દુનિયાના કોઇપણ મેદાનમાં શાનદાર બેટિંગ કરનાર ભારતીય ટીમે બંને ઇનિંગ્સમાં મળીને કુલ 356 રન બનાવ્યાં. આમ ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં ભારતીય બેટિંગ સાવ ફલોપ રહી.
બેટિંગમાં ફલોપ શૉ રહ્યો
ન્યૂઝીલેન્ડની ટીમે પહેલી ઇનિંગ્સમાં 348 રન બનાવી ભારત પર 183 રનની લીડ મેળવીહતી. ભારતીય બેટસમેનો બીજી ઇનિંગ્સમાં પણ નિષ્ફળ રહ્યાં હતા અને માત્ર 191 રન જ બનાવી શક્યા હતા જેને લઇને કીવી ટીમને માત્ર 9 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જે કોઇપણ વિકેટના નુકસાન વગર પાર કરી દીધો.
લડત પણ ના આપી શકી ટીમ ઇન્ડિયા
આ કારમા પરાજય બાદ ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલીએ કહ્યું કે અમે આ મેચમાં બિલકુલ લડત આપી શક્યાં નહી, અમે જો કીવીની ટીમ સામે 220-230 રનનો લક્ષ્ય રાખ્યો હોત તો પરિણામ કદાચ અલગ આવ્યું હોત. કોહલીએ કહ્યું કે બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ પ્રદર્શન સારુ કરશે.
પૃથ્વી શૉનો કર્યો બચાવ
વિરાટ કોહલીએ કહ્યું બોલિંગ યૂનિટ દ્વારા સારુ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ન્યૂઝીલેન્ડની ટીમના અંતિમ ત્રણ બેટ્સમેનોએ 120 રન જોડ્યાં જેનાથી અમે મેચમાંથી બહાર થઇ ગયાં. કોહલીએ યુવા ઓપનર પૃથ્વી શૉનો બચાવ કર્યો. પૃથ્વી નેચરલ સ્ટ્રોકમેકર છે, જલ્દી જ રન બનવાનો રસ્તો શોધી લેશે.