બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
MayurN
Last Updated: 02:47 PM, 29 December 2022
નવા વર્ષ 2023 સાથે નવી આશાઓ આવશે. નવું વર્ષ 2023 બધા માટે શુભ અને મંગલમય રહે. નવા વર્ષ સાથે જીવનમાં ઘણા ફેરફારો જોવા મળશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં નવા વર્ષમાં ઘણા વિશેષ યોગો રચાઈ રહ્યા છે, જેની અસર આપણા જીવન પર પણ પડશે, તો આજે નવા વર્ષમાં સુખ, સમૃદ્ધિ અને આર્થિક સમૃદ્ધિ જાળવી રાખવા માટે કેટલાક વિશેષ ઉપાયો જણાવી રહ્યા છે. જો તમે તમારી રાશિ પ્રમાણે આ ઉપાયો કરશો તો આખું વર્ષ દેવી લક્ષ્મીની કૃપા બની રહેશે અને જીવનમાં પૈસાની કોઈ કમી નહીં આવે. જાણો આ ખાસ ઉપાયો વિશે.
મેષ અને વૃશ્ચિક રાશિ
મેષ અને વૃશ્ચિક રાશિ માટે નવું વર્ષ સુખદ રહેવાનું છે. નવા વર્ષમાં તમને ઘણા સારા સમાચાર મળશે. નવા વર્ષમાં તમારે દર મંગળવારે પક્ષીઓને દાળ ખવડાવવી જોઈએ. ન્હાતી વખતે પાણીમાં લાલ ચંદનનો પાઉડર મિક્સ કરીને તેનાથી સ્નાન કરો. આનાથી દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે અને આખા વર્ષ દરમિયાન ધનની કમી નહીં રહે.
મિથુન અને કન્યા રાશિ
મિથુન અને કન્યા રાશિના લોકોએ બુધવારે પક્ષીઓને લીલા મગના દાણા ખવડાવવા જોઈએ. આ સાથે ગાયને લીલો ચારો પણ ખવડાવો. જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ માટે દર બુધવારે ભગવાન ગણેશની પૂજા કરો અને ઓમ ગણપતયે નમઃ મંત્રનો જાપ કરો.
કર્ક
કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે તેથી આ રાશિના લોકોએ દર સોમવારે શિવલિંગ પર દૂધ ચઢાવવું જોઈએ. સાથે ગંગા જળ ચઢાવો અને ઓમ ત્રયમ્બકમ યજામહે સુગંધી પુષ્ટિવર્ધનમ ઉર્વવારુકમિવ બંધનાનમૃત્યો મૃક્ષિયા મમૃતાત્ મંત્રનો જાપ કરો. જેના કારણે જીવનમાં સુખ-શાંતિ રહેશે.
વૃષભ અને તુલા
આ રાશિના જાતકોએ ખીર બનાવીને ગાયને ખવડાવવી જોઈએ. શુક્રવારે પક્ષીઓને ચોખાના દાણા ખવડાવો. કેસર અને એલચી પાવડર પાણીમાં મિક્સ કરીને સ્નાન કરો. આ ઉપાય આકસ્મિક ધન લાભ આપે છે.
સિંહ
સિંહ રાશિનો સૂર્ય સ્વામી છે અને સૂર્ય તેજ અને કીર્તિનું પ્રતિક છે, તેથી રવિવારે સ્નાન કર્યા પછી સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવવું જોઈએ. આ સિવાય દર રવિવારે પક્ષીઓને ઘઉંના દાણા ખવડાવો. ગાયોને ગોળ અને રોટલી ખવડાવો. આનાથી તમારા પર સૂર્ય ભગવાનની કૃપા બની રહેશે અને તમને જીવનમાં શક્તિ અને કીર્તિ મળશે.
ધન અને મીન
ધન અને મીન રાશિના જાતકોએ ખાસ કરીને ગુરુવારે ગુરુના આશીર્વાદ લેવા જોઈએ. ગુરુવારે પાણીમાં ચોખા અને ચણાના દાણાને મિક્સ કરીને આંબાના ઝાડ પર ચઢાવો અને ગુરુ મંત્રનો જાપ કરો. ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરો. જેના કારણે જીવનમાં સમૃદ્ધિ આવશે.
મકર અને કુંભ
આ રાશિના જાતકોએ દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. ખાસ કરીને મંગળવાર અને શનિવારે હનુમાનજીની વિશેષ પૂજા કરવી જોઈએ. શુક્રવારે મા લક્ષ્મીને ગુલાબનું ફૂલ અર્પણ કરો અને પૂજા કરો. જેના કારણે દેવી લક્ષ્મીની કૃપાથી ધનની કૃપા બની રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ