બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / New rules Announcement Vidhyasahayak recruitment
ADVERTISEMENT
વારંવાર અરજી કરતા ઉમેદવારોને અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ વિદ્યા-શિક્ષણ સહાયક તરીકે ફરજ બજાવતા ઉમેદવારે પસંદગીની જગ્યાએ પોસ્ટિંગ મેળવવા માટે નવેસરથી અરજી કરતા પહેલાં જે તે DEOનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવીને નવી અરજી સાથે બીડવાનું રહેશે. નવી નિમણૂંક મેળવ્યા બાદ જામીનપત્ર રજૂ કરવું પડશે. ૩૦ દિવસમાં ત્રણ વર્ષ માટે રૂપિયા ત્રણ લાખનો બોન્ડ રજૂ કરવાનો રહેશે. તેમજ ચાલુ નોકરીની માહિતી છુપાવનાર ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ્દ થશે.
30 દિવસમાં રૂ.3 લાખની જામીનગીરી રજૂ કરવાની રહેશે
ADVERTISEMENT
જો ત્રણ વર્ષ પહેલાં અરજદાર નોકરી છોડે તો આ રકમ સરકારમાં જમા કરાવ્યા બાદ જ જે તે અરજદારનું રાજીનામું મંજૂર કરવામાં આવશે. વિદ્યાસહાયક કે શિક્ષણ સહાયકની નવી નિમણૂંક પામનારા વ્યક્તિઓને પણ નવી ભરતીમાં આવતા રોકવા નિમણૂક મળ્યાના ૩૦ દિવસમાં ત્રણ વર્ષ માટે રૂપિયા ત્રણ લાખનો બોન્ડ લખાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
40 ટકા જેટલા ઉમેદવારો ચાલુ નોકરીવાળા હોવાનું સામે આવ્યું
ADVERTISEMENT
સરકાર દ્વારા કરવામાં આવતી ભરતીમાં આશરે ૪૦ ટકા જેટલા ઉમેદવારો ફરીથી અરજી કરતા હોવાનું સામે આવ્યું છે. કેટલાયે ઉમેદવારો દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને પગલે શિક્ષણ વિભાગના નાયબ સચિવ વી.ટી.મંડોરાએ પરિપત્ર જાહેર કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.