ક્રિકેટના સ્ટેડિયમથી લઇને ટીવી સ્ક્રીન અને પછી રાજનીતિની દુનિયામાં દરેક જગ્યાએ પોતાની પ્રતિષ્ઠાથી લોકોને અભિભૂત કરનારા નવજોત સિંહ સિદ્ધૂએ ફરી એક વખત પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.
નવજોત સિંહ સિદ્ધૂએ ફરી એક વખત પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યુ
પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં સિદ્ધૂએ આપ્યું રાજીનામું
રાજનીતિ નહીં, પરંતુ ક્રિકેટમાં પણ સિદ્ધૂનો હતો આક્રમક અંદાજ
પંજાબમાં આવતા વર્ષે યોજાનારા વિધાનસભા ચૂંટણી પહેલાં નવજોત સિંહ સુદ્ધૂને કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યાં. જે સંદર્ભે કેપ્ટન અમરિન્દર સિંહે CM પદેથી રાજીનામું આપ્યું. પરંતુ આ બધુ થયા બાદ નવજોત સિંહ સિદ્ધૂનું આક્રમક વલણ સામે આવ્યું અને તેમણે પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું.
સિદ્ધૂનું ક્રિકેટમાં પણ હતું આક્રમક વલણ
જો જોવા જઈએ તો નવજોત સિંહ સિદ્ધૂનો આક્રમક અંદાજ પહેલી વખત બધાની સામે આવ્યો નથી. રાજનેતા સિદ્ધૂનું ક્રિકેટરમાં પણ આવુ આક્રમક વલણ હતુ. જ્યારે ઈંગ્લેન્ડ પ્રવાસ ગયેલી ભારતીય ટીમ સામે મુશ્કેલી ઉભી થઇ હતી ત્યારે પણ સિદ્ધૂના આવો આક્રમક અંદાજ સામે આવ્યો હતો.
સિદ્ધૂ કોઈને જાણ કર્યા વગર ભારત પાછા આવ્યા હતા
ભારતીય ટીમ વર્ષ 1996માં ઈંગ્લેન્ડ પ્રવાસે ગઇ હતી. ભારતીય ટીમને ત્રણ ટેસ્ટ મેચ રમવાની બાકી હતી. ભારતીય ટીમ તરફથી ટીમના કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીન હતા અને ઈંગ્લેન્ડ તરફથી માઈકલ એથરટન ટીમનું સંચાલન કરી રહ્યાં હતા. નવજોત સિંહ સિદ્ધૂ પણ આ વખતે ટીમ ઈન્ડિયાની સાથે ગયા હતા અને ટીમના ઓપનર તરીકે ભૂમિકા ભજવી રહ્યાં હતા. પ્રથમ ટેસ્ટ મેચ એજબેસ્ટન મેદાનમાં રમવામાં આવી હતી. આ મેચમાં નવજોત સિંહ સિદ્ધૂને પ્લેઈંગ 11માં સ્થાન આપવામાં આવ્યું ન હતું. ટીમના કોમ્બિનેશનના કારણે આવુ કરવામાં આવ્યું હતુ. પરંતુ આ મેચ પૂર્ણ થયા બાદ નવજોત સિંહ સિદ્ધૂ કોઈને જાણ કર્યા વગર ઈંગ્લેન્ડથી ભારત પાછા આવી ગયા હતા. પરંતુ આ દરમ્યાન બીસીસીઆઈએ તપાસ માટે એક કમિટીની બેઠક બોલાવી હતી. જેમાં અમુક વાતો સામે આવી હતી.
સિદ્ધૂ કેમ નારાજ થયા હતા?
બીસીસીઆઈના સેક્રેટરી રહી ચૂકેલા જયવંત લેલેએ પોતાની બુક "I was There - Memoirs of a Cricket Administrator"માં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું હતુ કે નવજોત સિંહ સિદ્ધૂ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીનથી નારાજ થઇને ઈંગ્લેન્ડનો પ્રવાસ છોડીને ભારત પાછા આવી ગયા હતા.