બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:09 PM, 23 March 2026
Prayagraj: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક મોટી દુર્ઘટના થઇ છે. ચાંદપુરમાં કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ટાંકી ફાટી ગઇ હતી જેના કારણે આખું કોલ્ડ સ્ટોરેજ ધરાશાયી થઈ ગયું. છત તૂટી પડી, જેના કારણે ઘણા કામદારો કાટમાળ નીચે ફસાઈ ગયા. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે.
ADVERTISEMENT
यूपी –
— Sachin Gupta (@Sachingupta) March 23, 2026
प्रयागराज में कोल्ड स्टोर का एक हिस्सा ढह गया है। कई मजदूरों के दबने की सूचना है। बचाव–राहत कार्य शुरू कर दिया गया है। pic.twitter.com/V2A5PhfAdG
સોમવારે બપોરે પ્રયાગરાજના ફાફામાઉના ચાંદપુરમાં એક મોટો અકસ્માત થયો. એમોનિયા ગેસથી ભરેલી એમોનિયા ટાંકી વિસ્ફોટથી કોલ્ડ સ્ટોરેજની છત ધરાશાયી થઈ. છત તૂટી પડી જેના કારણે ગેસનું લીકેજ થયું. અકસ્માતમાં 5 કામદારોના મોત થયા છે. અત્યાર સુધીમાં 16 લોકોને કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ સાથે ફાફામાઉ પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. અકસ્માત બાદ નજીકમાં લોકોનો મોટો ટોળો એકઠા થયા હતા.
ADVERTISEMENT
प्रयागराज कोल्ड स्टोरेज हादसा: NDRF-SDRF का रेस्क्यू जारी।
— Roshan Kumar Journalist (@cameraman_r) March 23, 2026
मलबे में अब भी 10-15 लोगों के दबे होने की आशंका।
राहत-बचाव कार्य तेज, मौके पर जुटीं कई टीमें।
प्रशासन अलर्ट, हर संभव मदद पहुंचाने की कोशिश जारी।#prayagraj #prayagrajpolice#UPCM #YogiAdityanath pic.twitter.com/MQxQpk1qmH
અકસ્માત કેવી રીતે થયો?
ADVERTISEMENT
તમને જણાવી દઇએ કે સમાજવાદી પાર્ટીના નેતા અંસાર અહેમદનું ચાંદપુર ગામની સામે આદર્શ કોલ્ડ સ્ટોરેજ ધરાવે છે. કોલ્ડ સ્ટોરેજમાં બટાકાનો સંગ્રહ થઈ રહ્યો હતો. અચાનક એમોનિયા ગેસથી ભરેલી ટાંકીમાં વિસ્ફોટ થયો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે કોલ્ડ સ્ટોરેજની છત તૂટી પડી, જેના કારણે કામદારો કાટમાળ નીચે દટાઈ ગયા. વિસ્ફોટનો અવાજ સાંભળીને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ''પેટ્રોલ-ડીઝલ અને ગેસની...'', મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે લોકસભામાં PM મોદીનું મોટું નિવેદન
વીડિયો સામે આવ્યો
ADVERTISEMENT
પોલીસે જણાવ્યું હતું કે આ કોલ્ડ સ્ટોરેજ સમાજવાદી પાર્ટીના નેતા અંસાર અહેમદનું છે. તેનું લાઇસન્સ ક્યારે જારી કરવામાં આવ્યું હતું અને ક્યારે રિન્યુ કરવામાં આવ્યું હતું તેની તપાસ કરવામાં આવશે. આ દુર્ઘટનાનું કારણ બનેલી બેદરકારીની પણ તપાસ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.