બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / '5 વર્ષની અથાક સાધનાથી ઊભું થયું સનાતની શિખર' રામ મંદિર ધ્વજારોહાણ બાદ ભાવુક બન્યાં PM મોદી

સંબોધન / '5 વર્ષની અથાક સાધનાથી ઊભું થયું સનાતની શિખર' રામ મંદિર ધ્વજારોહાણ બાદ ભાવુક બન્યાં PM મોદી

Jay Bhatt

Last Updated: 01:01 PM, 25 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત દેશના નાગરિકો માટે આજનો દિવસ ખાસ છે જ્યાં અયોધ્યાના રામ મંદિરે વડાપ્રધાન મોદી અને RSS વડા મોહન ભાગવતે ધર્મ ધ્વજ ફરકાવ્યો હતો. ધ્વજારોહણ બાદ PM મોદીએ સંબોધન કર્યું છે.

Ram Mandir: અયોધ્યામાં રામલલાના અભિષેક પછી, PM મોદીએ રામ મંદિરે ધ્વજ ફરકાવ્યો હતો. શુભ મુહૂર્ત દરમિયાન બટન દબાવવાની સાથે જ 161 ફૂટ ઊંચા શિખર પર 2 કિલોગ્રામનો ભગવો ધ્વજ લહેરાયો હતો. સમગ્ર દેશવાસીઓ માટે ઉત્સાહની ક્ષણ હતી. આ પછી પીએમ મોદી વિશાળ જનમેદનીને સંબોધન કરી રહ્યા છે.

સિયાવર રામચંદ્રના જયઘોષથી સંબોધન કર્યું શરૂ

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનની શરૂઆત સિયાવર રામચંદ્રના જયઘોષ દ્વારા કરી હતી. આજે, આખું ભારત, આખું વિશ્વ, રામમય બન્યું છે. પોતાના સંબોધનમાં પીએમએ કહ્યું કે, 'ચાલો આપણે એક એવો સમાજ બનાવીએ જ્યાં કોઈ ગરીબ ન હોય અને કોઈ પીડિત ન હોય. આ ધ્વજ આવનારા યુગો સુધી શ્રી રામના આદેશો અને પ્રેરણાઓને સમગ્ર માનવતા સુધી લઈ જશે'.

'આ ધ્વજ સદીઓ જૂના સ્વપ્નના સાકારનું પ્રતીક'

અયોધ્યામાં રામ મંદિરે સભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "આજે, અયોધ્યા શહેર ભારતના સાંસ્કૃતિક જાગૃતિના બીજા એક ક્ષણનું સાક્ષી બની રહ્યું છે. આજે, આખું ભારત, આખું વિશ્વ, રામની ભાવનાથી ભરેલું છે. આજે, રામ ભક્તોના હૃદયમાં અનંત આનંદ છે. સદીઓ જૂના ઘા રૂઝાઈ રહ્યા છે. સદીઓ જૂના સંકલ્પો પૂર્ણ થઈ રહ્યા છે. આજે એક એવા યજ્ઞનો અંતિમ પ્રસાદ છે જેની આગ 500 વર્ષથી સળગી રહી છે'.
vtv app promotion

'આજે ભગવાન રામના ગર્ભગૃહની અનંત ઉર્જા સ્થાપિત થઈ'

પ્રભુ શ્રી રામનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, 'આજે ભગવાન રામના ગર્ભગૃહની અનંત ઉર્જા સ્થાપિત થઈ છે. આ ધર્મધ્વજ ઇતિહાસના સુંદર જાગૃતિનો રંગ છે. તેનો ભગવો રંગ, સૂર્યવંશનો વારસો, રામરાજ્યનો મહિમા ધરાવે છે. આ ધ્વજ એક સંકલ્પ છે, તે સિદ્ધિ માટે સંકલ્પની ભાષા છે. તે સદીઓ જૂના સંઘર્ષની સિદ્ધિ છે, સદીઓ જૂના સપનાઓનું મૂર્ત સ્વરૂપ છે, રામના આદર્શોની ઘોષણા છે'.

પીએમ મોદી અને મોહન ભાગવતે પૂજા કરી

અગાઉ PM નરેન્દ્ર મોદી અને RSSના વડા મોહન ભાગવતે રામ મંદિરના પહેલા માળે નવા બનેલા રામ દરબારમાં પૂજા કરી હતી. રામ લલ્લાના અભિષેક સમયે, પહેલા માળે રામ દરબાર સ્થાપિત થયો ન હતો. રામ દરબાર તાજેતરમાં પૂર્ણ થયો હતો.

વધુ વાંચો : ધર્મનો જયજયકાર! PM મોદીએ રામ મંદિર પર કર્યું ધ્વજારોહણ, દેશમાં દિવાળી જેવો માહોલ, લોકોમાં દેખાયો ઉમંગ

PM મોદી અયોધ્યામાં કર્યો ભવ્ય રોડ શો

પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં ભવ્ય રોડ શો કરીને રામ મંદિરે પહોંચ્યા હતા. મોદીના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વડાપ્રધાને પણ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ઠેર-ઠેર PM મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi speech Ram Mandir Flag Hoisting Ayodhya Ram Mandir
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ