બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:35 PM, 22 May 2026
ત્વિષા શર્મા મૃત્યુ કેસ હવે વધુ ગંભીર બની રહ્યો છે. સરકાર દ્વારા આ કેસમાં CBI તપાસની ભલામણ કરવામાં આવતા સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે. હવે દેશની સૌથી મોટી તપાસ એજન્સી CBI આ રહસ્યમય મૃત્યુ પાછળનું સત્ય બહાર લાવવાનો પ્રયાસ કરશે. સરકારના આ નિર્ણય બાદ ત્વિષા શર્માના પરિવાર અને તેમના વકીલો આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી વધુ કડક બનાવવા માટે તૈયારી કરી રહ્યા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ત્વિષા શર્માના પરિવારના વકીલ આયુષ તિવારીએ કોર્ટ સુનાવણી દરમિયાન અનેક ગંભીર દાવાઓ કર્યા હતા. તેમણે ત્વિષા અને તેની સાસુ ગિરીબાલા સિંહ વચ્ચે થયેલી વોટ્સએપ ચેટ્સનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આ ચેટ્સ સ્પષ્ટ દર્શાવે છે કે ત્વિષા પર તેના સાસરિયાઓ દ્વારા સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. વકીલના જણાવ્યા અનુસાર, ત્વિષાને લાંબા સમયથી હેરાન કરવામાં આવી રહી હતી અને તે ભારે માનસિક દબાણ હેઠળ હતી.
ADVERTISEMENT
પરિવારે હવે કેસમાં વધુ સત્ય બહાર આવે તે માટે ત્વિષાના મૃતદેહનું બીજું પોસ્ટમોર્ટમ કરાવવાની માંગ કરવાની તૈયારી શરૂ કરી છે. પરિવારનું માનવું છે કે બીજા પોસ્ટમોર્ટમથી મૃત્યુ પાછળના ઘણા સવાલોના જવાબ મળી શકે છે. સાથે જ પરિવારના વકીલે આરોપી પતિ સમર્થ સિંહને આપવામાં આવેલા આગોતરા જામીનનો કડક વિરોધ કરવાની પણ જાહેરાત કરી છે.
ADVERTISEMENT
માત્ર એટલું જ નહીં, પરંતુ ત્વિષાની સાસુ ગિરીબાલા સિંહને આપવામાં આવેલા આગોતરા જામીન પણ રદ કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે. વકીલ આયુષ તિવારીએ ગંભીર આરોપ લગાવ્યો કે FIR નોંધાયા બાદ થોડા જ કલાકોમાં ગિરીબાલા સિંહને આગોતરા જામીન મળી જવું અનેક સવાલો ઉભા કરે છે. તેમના મતે, આ સમગ્ર પ્રક્રિયામાં પ્રભાવ અને પદનો દુરુપયોગ થયો હોવાની શંકા છે.
આ પણ વાંચો : ગુજરાત સહિત 10 રાજ્યોની 24 રાજ્યસભા સીટો પર યોજાશે ચૂંટણી, જાણો ક્યારે
ADVERTISEMENT
ત્વિષાના પરિવારે આ મામલે હવે મધ્યપ્રદેશ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. પરિવાર દ્વારા દાખલ કરાયેલી ખાસ અરજી પર શનિવારે હાઈકોર્ટમાં સુનાવણી થવાની શક્યતા છે. પરિવારને આશા છે કે કોર્ટ દ્વારા નિષ્પક્ષ તપાસ અને યોગ્ય કાર્યવાહી માટે મહત્વપૂર્ણ આદેશ આપવામાં આવશે. CBI તપાસની ભલામણ બાદ હવે આ કેસ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકો પણ આ કેસમાં સત્ય બહાર આવે અને ત્વિષા શર્માના પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે. પરિવારનું કહેવું છે કે હવે તેઓ અંત સુધી લડત ચાલુ રાખશે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય ત્યાં સુધી શાંત નહીં બેસે
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.