બ્રેકિંગ ન્યુઝ
Cyclone Senyar: હવામાન વિભાગે ચક્રવાત સેન્યાર અંગે એક મોટું એલર્ટ આપ્યું છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ ધીમે ધીમે મજબૂત થઈ રહી છે. આગામી અઠવાડિયા સુધીમાં તે ચક્રવાતમાં પરીવર્તીત થઈ શકે તેવી અપેક્ષા છે.
ADVERTISEMENT
Daily Weather Briefing English (23.11.2025)
— India Meteorological Department (@Indiametdept) November 23, 2025
Youtube: https://t.co/o0wA4xLB1m
Facebook: https://t.co/tKuWysmr3q
Well-Marked low-pressure area over Strait of Malacca and adjoining South Andaman Sea on 23rd Nov.
Get ready to participate in India's largest festival of science and… pic.twitter.com/QrYwVHY5wv
ADVERTISEMENT
આ વાવાઝોડાને 'સેન્યાર' નામ આપવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડવાની ગંભીર ચેતવણી જાહેર કરી છે.
ADVERTISEMENT
બંગાળની ખાડીમાં સક્રિય થયેલું ચક્રવાત સેન્યાર ભારતમાં વિનાશ વેરવાની તૈયારીમાં છે. દેશભરમાં હવામાન શુષ્ક અને સ્વચ્છ રહેશે, પરંતુ ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ અને ધુમ્મસ ઠંડીમાં વધારો કરશે. ચક્રવાતની અસરથી દક્ષિણપૂર્વ કિનારાના શહેરોમાં, જેમાં દક્ષિણ ભારત અને પૂર્વ ભારતનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT
દક્ષિણ આંદામાન સમુદ્ર પર રચાયેલ તીવ્ર દબાળનો વિસ્તાર દક્ષિણપૂર્વ બંગાળની ખાડી તરફ આગળ વધ્યો છે, જે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે અને 25-26 નવેમ્બરના રોજ ચક્રવાત સેન્યારમાં ફેરવાશે. તે 27 થી 29 નવેમ્બરની વચ્ચે આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે લેન્ડફોલ થઈ શકે છે.
ADVERTISEMENT
વધુ વાંચો : એકી સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં વરસાદ-ઠંડી અને ગરમી, અંબાલાલ પટેલની મોટી આગાહી
ADVERTISEMENT
ચક્રવાતના કારણે દરિયાકાંઠાના શહેરોમાં ભારે વરસાદ અને તોફાની પવન ફૂંકાઈ શકે છે. દરિયામાં ઉછાળાને કારણે, માછીમારોને 30 નવેમ્બર સુધી દરિયો ન ખેડવાની સૂંચના આપી દેવામાં આવી છે. ચક્રવાત આંદામાન અને નિકોબાર ટાપુઓ પર અસર કરે તેવી શક્યતા છે. બંને ટાપુઓ પર 65 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.