બ્રેકિંગ ન્યુઝ
Politics News : બિહારમાં વિધાનસભાની ચૂંટણીને લઈને એક પછી એક પાર્ટી પ્રચંડ પ્રચાર કરી રહી છે. ચૂંટણી સભાઓમાં નિવેદબાજી થઈ રહી છે. એક તરફ જ્યાં NDA વંશવાદનો મુદ્દો ઉઠાવીને RJD અને કોંગ્રેસને આડે હાથ લીધું છે તો બીજી તરફ કોંગ્રેસના સાંસદે રાહુલ ગાંધી પર આડકતરી રીતે નિશાન સાધ્યું છે.
ADVERTISEMENT
કેરળના તિરુવનંતપુરમના લોકસભા સાંસદ શશિ થરૂર સતત પોતાના નિવેદનોથી કોંગ્રેસ પાર્ટીને ઘેરી રહ્યા છે, અને હવે, બિહાર વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે, તેમણે વંશવાદના રાજકારણ વિશે એક લેખમાં એક મોટું નિવેદન આપ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
કોંગ્રેસના સાંસદે વંશવાદની રાજનીતિ સામે અવાજ ઉઠાવતા 31 ઓક્ટોબરના રોજ પ્રોજેક્ટ સિન્ડિકેટ દ્વારા પ્રકાશિત એક કોલમમાં લખ્યું કે, 'ભારતીય લોકશાહી માટે ગંભીર ખતરો છે અને વંશવાદની રાજનીતિને યોગ્યતાથી બદલવાનો સમય આવી ગયો છે. દાયકાઓથી એક પરિવાર ભારતીય રાજકારણ પર પ્રભુત્વ ધરાવે છે'.
ADVERTISEMENT
શશિ થરૂરે નહેરુ-ગાંધી પરિવારનો ઉલ્લેખ કરતા લખ્યું કે, 'સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ, વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી, અને વર્તમાન વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાનો સમાવેશ થાય છે. આ પરિવાર ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં ઊંડે સુધી મૂળ ધરાવે છે, પરંતુ તેણે એ વિચારને પણ મજબૂત બનાવ્યો કે રાજકીય નેતૃત્વ જન્મસિદ્ધ અધિકાર હોઈ શકે છે. આ વિચાર દરેક પક્ષ, દરેક ક્ષેત્ર અને ભારતીય રાજકારણના દરેક સ્તરે ફેલાયેલો છે'.
ADVERTISEMENT
કોંગ્રેસના સાંસદના આ લેખથી હવે ભાજપને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધવાની નવી તક મળી છે. શશી થરુરના આ લેખ પર કોંગ્રેસના નેતાઓએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.