બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:43 PM, 25 May 2026
દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાં સ્થાન ધરાવતા પદ્મ પુરસ્કારો માટે વર્ષ 2026માં કુલ 131 હસ્તીઓની પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા વિશેષ સમારંભમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારો એનાયત કર્યા હતા. આ યાદીમાં કલા, સાહિત્ય, શિક્ષણ, રમતગમત, દવા, જાહેર જીવન અને સામાજિક કાર્ય જેવા ક્ષેત્રોના અનેક દિગ્ગજોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ વર્ષે પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણ, 13 લોકોને પદ્મ ભૂષણ અને 113 મહાનુભાવોને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. ખાસ વાત એ રહી કે સ્વર્ગસ્થ અભિનેતા ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યું છે. ઉપરાંત, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ કે.ટી. થોમસ અને કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વીએસ અચ્યુતાનંદનને પણ આ પ્રતિષ્ઠિત સન્માન મળ્યું છે.
#WATCH | Delhi | President Droupadi Murmu confers Padma Shri on India women's cricket captain Harmanpreet Kaur for her contributions in the field of Sports (Cricket)
— ANI (@ANI) May 25, 2026
(Video source: President of India/Social Media) pic.twitter.com/Rua8xCLznp
ADVERTISEMENT
ગાયક અલકા યાજ્ઞિક, અભિનેતા મામૂટી, ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન, ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભગતસિંહ કોશ્યારી, ઉદ્યોગપતિ ઉદય કોટક અને જાહેરાત જગતના જાણીતા નામ પિયુષ પાંડેને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે. રમતગમત ક્ષેત્રે વિજય અમૃતરાજને પણ આ સન્માન મળ્યું છે. પદ્મશ્રી માટે પસંદ થયેલા મહાનુભાવોમાં અભિનેતા આર. માધવન, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા, મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર અને પેરા એથ્લીટ પ્રવીણ કુમાર જેવા જાણીતા નામો સામેલ છે. દેશના વિવિધ ખૂણાઓમાંથી કલા, સંસ્કૃતિ અને સમાજસેવામાં યોગદાન આપનાર વ્યક્તિઓને પણ આ વર્ષે વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
#WATCH | Delhi | Padma Vibhushan awarded to legendary veteran actor late Dharmendra by President Droupadi Murmu
— ANI (@ANI) May 25, 2026
BJP MP Hema Malini received the honour awarded to her late husband and legendary actor for his contribution in the field of Arts
(Video source: President of… pic.twitter.com/HglPJJAXRl
ADVERTISEMENT
સરકારે જાન્યુઆરી 2026માં જ આ પુરસ્કારોની જાહેરાત કરી હતી, પરંતુ હવે સત્તાવાર સમારંભમાં તમામ હસ્તીઓને સન્માનિત કરવામાં આવ્યા. પદ્મ પુરસ્કારો દેશના એવા નાગરિકોને આપવામાં આવે છે જેમણે પોતાના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન આપીને દેશનું ગૌરવ વધાર્યું હોય. આ પુરસ્કારો માત્ર વ્યક્તિગત સિદ્ધિ નહીં પરંતુ દેશ માટેની સેવા અને સમર્પણનો પણ સન્માન માનવામાં આવે છે.
ADVERTISEMENT
અલકા યાજ્ઞિક
આ પણ વાંચો : હવામાં અધવચ્ચે રોપવે બગડી જતાં 300 પ્રવાસીઓ અટવાયા, પોલીસ-આર્મીએ કર્યું રેસ્ક્યૂ
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.