બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:11 AM, 18 December 2025
Delhi Pollution : દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હવામાં પ્રદૂષણ ભયાનક સ્તરે પહોંચી ગયું છે. ઝેરી ધુમ્મસના કારણે લોકોની આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ વધી રહી છે. હાલ પરિસ્થિતિ એવી બની ગઈ છે કે દિવસની શરૂઆત સૂર્યથી નહીં, પરંતુ મોબાઇલ પર દેખાતા AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ)થી થાય છે. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે પ્રદૂષણ કાબૂમાં લેવા માટે અનેક કડક પગલાં લીધા છે, જે આજથી અમલમાં આવી ગયા છે.
ADVERTISEMENT
ફક્ત BS-6 વાહનોને જ પ્રવેશ
હવે દિલ્હીમાં બહારથી આવનારા ફક્ત BS-6 ધોરણના વાહનોને જ પ્રવેશ મળશે. તેનાથી જૂના ધોરણના વાહનોને દિલ્હીની સરહદ પરથી પરત મોકલવામાં આવશે. જોકે, દિલ્હીમાં પહેલાથી નોંધાયેલા જૂના વાહનો પર હાલ કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી.
ADVERTISEMENT
PUC વિના ઇંધણ નહીં
સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય એ છે કે, હવે માન્ય PUC (પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર) વિના કોઈપણ વાહનને પેટ્રોલ, ડીઝલ અથવા CNG મળશે નહીં. આ નિર્ણયના કારણે બુધવારે સવારથી જ પેટ્રોલ પંપ પર લોકોની લાંબી લાઈનો જોવા મળી. ઘણા પંપ પર સર્વર ખામીઓના કારણે ચેકિંગમાં વિલંબ થયો, જેના કારણે લોકોને મુશ્કેલી પડી. સ્થિતિ સંભાળવા માટે પોલીસ તૈનાત કરાઈ હતી.
ADVERTISEMENT
બાંધકામ અને ધૂળ ફેલાવતા વાહનો પર કાર્યવાહી
રેતી, માટી અને બાંધકામ સામગ્રી વહન કરતા વાહનો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. બદરપુર વિસ્તારમાં આવા ટ્રકો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નિયમો તોડનારા વાહનોને જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
50% કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ
પ્રદૂષણના ગ્રેપ-4 પ્રતિબંધો હેઠળ દિલ્હી સરકારે તમામ ખાનગી અને સરકારી સંસ્થાઓને 50% કર્મચારીઓ સાથે ઓફિસ ચલાવવાનો આદેશ આપ્યો છે. બાકીના કર્મચારીઓએ ઘરેથી કામ કરવું પડશે. આ નિયમનું પાલન ન કરનાર સંસ્થાઓ પર દંડ લગાવવામાં આવશે.
ADVERTISEMENT
નોંધાયેલા મજૂરોને આર્થિક સહાય
બાંધકામ પર કામ કરતા મજૂરો માટે સરકાર દ્વારા રાહતની જાહેરાત કરવામાં આવી છે. પ્રદૂષણના કારણે કામ બંધ રહેતાં, દિલ્હીમાં નોંધાયેલા મજૂરોને સીધા ₹10,000ની સહાય તેમના ખાતામાં જમા કરાશે.
ADVERTISEMENT
સરહદ પર કડક દેખરેખ
દિલ્હીમાં પ્રવેશતા તમામ મુખ્ય બોર્ડર પોઇન્ટ્સ જેમ કે ટિકરી, કાલિંદી કુંજ, કાપશેરા, રાજોકરી અને આયા નગરપર ટ્રાફિક પોલીસ અને પરિવહન વિભાગની ટીમો તૈનાત રહેશે. લગભગ 7,800થી વધુ અમલીકરણ ટીમો નિયમોનું પાલન સુનિશ્ચિત કરશે.

સરકારની જનતાને પણ કરી અપીલ
દિલ્હી સરકારે લોકોને શક્ય તેટલું કારપૂલિંગ અપનાવવાની અપીલ કરી છે. સાથે જ હરિયાળી વધારવા અને ધૂળ ઘટાડવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે, કારણ કે પાંદડાં પર ધૂળ જમા થવાથી ઓક્સિજન ઉત્સર્જન ઘટે છે.
સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી
પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટએ સરકારને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. કોર્ટે કહ્યું કે, અત્યાર સુધી લેવામાં આવેલા પગલાં અસરકારક સાબિત થયા નથી. લાંબા ગાળાની નીતિ જરૂરી છે. સાથે જ, શિયાળાની રજાઓ વહેલી જાહેર કરવાની, ટોલ પ્લાઝા બંધ કરવાની અને પ્રદૂષણના કારણે બેરોજગાર બનેલા મજૂરો માટે વૈકલ્પિક વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.