બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:14 PM, 25 December 2025
Ganesh Uike Encounter : આજે નાતાલના દિવસે ઓડિશાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ઓડિશાના કંધમાલ જિલ્લામાં સુરક્ષા દળોને નક્સલ વિરોધી અભિયાનમાં મોટી સફળતા મળી છે. જંગલ વિસ્તારમાં થયેલા એક ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ ટોચના નક્સલી નેતા ગણેશ ઉઇકે સહિત ચાર નક્સલવાદીઓને ઠાર કર્યા છે. નોંધનીય છે કે, ગણેશ ઉઇકે સીપીઆઈ (માઓવાદી) સંગઠનની કેન્દ્રીય સમિતિનો સભ્ય હતો અને ઓડિશામાં નક્સલી પ્રવૃત્તિઓનો મુખ્ય સંચાલક માનવામાં આવતો હતો.
ADVERTISEMENT
Odisha: Based on intelligence received from the Special Intelligence Wing, a joint operation involving 23 teams (20 SOG, 2 CRPF, 1 BSF) was launched in the Chakapad police station area of Kandhamal district and the Rambha forest range in the bordering areas of Ganjam district.…
— ANI (@ANI) December 25, 2025
જાણો કઈ રીતે થયું એન્કાઉન્ટર ?
ADVERTISEMENT
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોને કંધમાલ અને ગંજમ જિલ્લાની સરહદ પાસે આવેલા રામ્પા જંગલ વિસ્તારમાં નક્સલીઓની હાજરી અંગે ચોક્કસ માહિતી મળી હતી.
BREAKING : Big success for security forces, 4 naxals eliminated including Ganesh Uike, a Central Committee member and the chief of the Naxalite organisation in Odisha. He was one of the most wanted Maoist leaders in the state, carrying a bounty of ₹1.1 crore on his head. pic.twitter.com/Bkl5ILTzh7
— Baba Banaras™ (@RealBababanaras) December 25, 2025
ADVERTISEMENT
આ માહિતીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), સીઆરપીએફ અને બીએસએફની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ઓપરેશન દરમિયાન નક્સલીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો, જેના જવાબમાં થયેલા એન્કાઉન્ટરમાં ચાર નક્સલીઓ માર્યા ગયા.

ADVERTISEMENT
₹1.1 કરોડના ઇનામી નક્સલીનું એન્કાઉન્ટર
વિગતો મુજબ માર્યા ગયેલામાં સૌથી મોટું નામ ગણેશ ઉઇકેનું છે, જેના પર સરકાર દ્વારા ₹1.1 કરોડનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. તેની ઉંમર આશરે 69 વર્ષ હોવાનું જણાવવામાં આવ્યું છે અને તે લાંબા સમયથી સુરક્ષા એજન્સીઓ માટે મોટો પડકાર બની રહ્યો હતો. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા અન્ય ત્રણ નક્સલીઓમાં બે મહિલાનો પણ સમાવેશ થાય છે, જોકે તેમની ઓળખ હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી. અધિકારીઓએ જણાવ્યું કે આ ઓપરેશન રાજ્યમાં નક્સલવાદ સામેની લડાઈ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ના કોઇ પોસ્ટ, ના કોઇ Like, ભારતીય સેનાના જવાનને લગતી સોશિ. મીડિયા પોલિસીમાં ફેરફાર
આ સાથે નક્સલ ઓપરેશન્સના ડીઆઈજી અખિલેશ્વર સિંહે જણાવ્યું હતું કે સુરક્ષા દળોની સંયુક્ત કાર્યવાહીથી નક્સલી સંગઠનને મોટો ફટકો પડ્યો છે. તેમણે કહ્યું કે રાજ્યમાં શાંતિ અને વિકાસ જળવાઈ રહે તે માટે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.