બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:00 PM, 9 October 2025
ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના પૂરાકલંદર થાણા વિસ્તારના પગલા ભારી ગામમાં ગુરુવારે રાત્રે ઘરેલુ ગેસ સિલિન્ડર વિસ્ફોટથી એક મકાન ધરાશાયી થયું, જેમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે અને કાટમાળમાં વધુ લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત થઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યા છે. ઘાયલોને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર કામગીર ચાલુ છે.
ADVERTISEMENT
#WATCH | Uttar Pradesh: 5 people died following an explosion in a house in Ayodhya. Police and administration are at the spot, and rescue and search operations are underway. pic.twitter.com/JbPA21Nden
— ANI (@ANI) October 9, 2025
આ ઘટના ગુરુવારે રાત્રે આશરે 8 વાગ્યાની આસપાસ બની, જ્યારે એક ઘરમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો. સ્થાનિક લોકો અનુસાર, વિસ્ફોટનો આવાજ એટલો તીવ્ર હતો કે તે આસપાસના ઘણા ઘરો અને દુકાનોમાં પણ નુકસાન પહોંચાડી દીધું. કેટલાક ઘરોની બારીઓ તૂટી ગઈ અને દિવાલોમાં તિરાડો પડી ગઈ. મૃતકોમાં ત્રણ બાળકો પણ સામેલ હોવાનું જણાવાયું છે, જે આ દુર્ઘટનાને વધુ દુઃખદ બનાવે છે. અયોધ્યા પોલીસના સીઓ દેવેશ ચતુર્વેદીએ જણાવ્યું કે, "પ્રારંભિક તપાસમાં સ્પષ્ટ થયું છે કે ઘરમાં ઘરેલુ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આ વિસ્ફોટ થયો. ઘટનાસ્થળેથી ફાટેલું કુકર અને સિલિન્ડર મળ્યું છે.
ADVERTISEMENT
ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા મેજિસ્ટ્રેટ, એસએસપી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. રેસ્ક્યુ ટીમો જેસીબી અને અન્ય સાધનોની મદદથી કાટમાળ ખેસડયો હતો. ફાયર બ્રિગેડની ટીમોએ આગને કાબુમાં લીધી, પરંતુ બચાવ કાર્યને કારણે વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. પ્રશાસ દ્વારા મૃતકોના પરિવારોને વળતર આપવાની જાહેરાત કરી છે, અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં તપાસના આદેશ આપ્યા છે.

ADVERTISEMENT
સ્થાનિક લોકોનું કહેવું છે કે વિસ્ફોટ પછી આખા ગામમાં અફરાતફરીનો માહોલ ફેલાઈ ગયો. કેટલાક લોકોને લાગ્યું કે આસપાસ કોઈ ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો, પરંતુ તપાસમાં ગેસ લીકની પુષ્ટિ થઈ. પોલીસે પ્રારંભમાં ફટાકડા વિસ્ફોટની આશંકા વ્યક્ત કરી હતી, કારણ કે દિવાળીની તૈયારીઓ ચાલુ છે અને અનેક ઘરોમાં અનધિકૃત ફટાકડા રાખવામાં આવ્યા હોય છે. જોકે, ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળમાંથી નમૂનાઓ ભેગા કર્યા છે અને વિગતવાર તપાસ ચાલુ છે. જો પટાખા અને ગેઝનું મિશ્રણ હોય તો આ વધુ ગંભીર મુદ્દો બની શકે છે.
વધુમાં વાંચો: 6,6,6,6,6,6,6,6,6... શિવમ દુબેએ ફાસ્ટેસ્ટ સેન્ચ્યુરી ફટકારી બનાવ્યો રેકોર્ડ
ADVERTISEMENT
આ ઘટના અયોધ્યા જેવા ધાર્મિક નગરમાં બને તેવી વધુ ચિંતાજનક છે, જ્યાં દિવાળીની તૈયારીઓને કારણે નાગરિકો વધુ સાવચેતી રાખવાની જરૂર છે. વર્ષોથી ગેસ લીક અને વિસ્ફોટની ઘટનાઓ વધી રહી છે, જેમાં ગરીબ પરિવારો વધુ પીડિત થાય છે. પ્રશાસને નાગરિકોને સુરક્ષા માટે જાગૃતિ અભિયાન ચલાવવાની જરૂર છે, જેમ કે સિલિન્ડરની તપાસ અને ફટાકડા સંગ્રહ પર પ્રતિબંધ. હાલમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે, અને અધિકારીઓએ ગામવાસીઓને સહયોગ આપવાની અપીલ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.