બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ''કર્મચારીને કામ માટે ઠપકો આપવો એ...'', આત્મહત્યા માટે ઉશ્કેરણીના કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

સુનાવણી / ''કર્મચારીને કામ માટે ઠપકો આપવો એ...'', આત્મહત્યા માટે ઉશ્કેરણીના કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:05 AM, 20 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Supreme Court News: સુપ્રીમ કોર્ટે કાર્યસ્થળની શિસ્ત અને આત્મહત્યા માટે ઉશ્કેરણી મામલાને લઇ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.

Supreme Court News: સુપ્રીમ કોર્ટે કાર્યસ્થળની શિસ્ત અને આત્મહત્યા માટે ઉશ્કેરણી મામલાને લઇ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોઇ સીનિયર અધિકારીના વહીવટી સૂચનો, કામ પર કડકતા અથવા કામગીરી પર કઠોર ટિપ્પણીઓને સીધી રીતે આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો ગણી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે આત્મહત્યા માટે ઉશ્કેરણી અંગે એક મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. કોર્ટે જણાવ્યું હતું કે સીનિયર અધિકારીના નિયમિત વહીવટી સૂચનો, કડક શિસ્ત, કર્મચારીના કામ પર પ્રતિકૂળ ટિપ્પણીઓ અથવા કઠોર વર્તનને આત્મહત્યા માટે ઉશ્કેરણી ગણી શકાય નહીં.

ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્મા અને ન્યાયાધીશ એન. કોટિશ્વર સિંહની બેન્ચે કહ્યું હતું કે કોઈ અધિકારીને આત્મહત્યા માટે ઉશ્કેરણીનો દોષિત ઠેરવવા માટે કર્મચારીનો સ્પષ્ટ અને ઇરાદાપૂર્વકનો ઇરાદો હતો તે દર્શાવવા માટે વધારાના પુરાવાની જરૂર પડે છે.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્મા અને એન. કોટેશ્વર સિંહની બેન્ચે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 306, 504 અને 506 હેઠળ સિનિયર વન અધિકારી વિનોદ શિવકુમાર સામેની ફોજદારી કાર્યવાહી રદ કરી છે અને મહિલા વન રેન્જ અધિકારીને આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાંથી તેમને મુક્ત કર્યા છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે નિયમિત વહીવટી દેખરેખ, સત્તાવાર ઠપકો અથવા ભૂતકાળની ફરિયાદોને તાત્કાલિક ઉશ્કેરણી અને સ્પષ્ટ ઇરાદે આત્મહત્યા માટે ઉશ્કેરણી ગણી શકાય નહીં.

VTV Digital 1

આ પણ વાંચોઃ ટ્રેજિક / ગેસ પુરાવતી વખતે એલર્ટ! CNG પંપ પર બ્લાસ્ટ થતાં 3 લોકોના મોત, 3 ગંભીર રીતે દાઝ્યાં

આ મામલો હરિસાલ રેન્જમાં તૈનાત કરાયેલી એક મહિલા વન રેન્જ અધિકારીના મૃત્યુ સાથે જોડાયેલો છે, જેણે 25 માર્ચ 2021 ના પોતાની સત્તાવાર પિસ્તોલથી ગોળી મારીને આત્મહત્યા કરી હતી. મૃતકે તેની માતા, પતિ અને અમરાવતીના વધારાના મુખ્ય વન સંરક્ષક (APCCF) એમ.આર. રેડ્ડી ને સંબોધીને ત્રણ સુસાઇડ નોટ છોડી હતી. સુસાઇડ નોટમાં તેણીએ તેના ઉપરી, નાયબ વન સંરક્ષક વિનોદ શિવકુમાર પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Supreme Court Supreme Court News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ