બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / લોકમેળા માટે રાજકોટ મનપાએ રેસકોર્ષ ગ્રાઉન્ડનું ભાડું માંગતા વિવાદ, આંકડો લાખોમાં
Last Updated: 09:22 AM, 20 August 2026
Rajkot Janmashtami Mela 2026 News: રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળો યોજાય તે પહેલા જ વિવાદ શરૂ થયો છે. મનપા દ્વારા લોકમેળા સમિતિ પાસે રેસકોર્ષ ગ્રાઉન્ડનું 21 લાખ રૂપિયા ભાડું માંગવામાં આવ્યું છે. જો કે લોકમેળા સમિતિએ ભાડું આપવાનો ઇન્કાર કરી દીધો છે.
ADVERTISEMENT
રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળાનો સમય નજીક આવતા નવો વિવાદ સર્જાયો છે. મનપાએ ગ્રાઉન્ડનું ભાડું અને 20 સ્ટીલ અનામત રાખવાની માંગ કરી હતી. અત્યાર સુધી મનપા દ્વારા ગ્રાઉન્ડ માટે ભાડું નથી માંગવામાં આવ્યું. જો કે આ વર્ષે મનપાએ લોકમેળાના ગ્રાઉન્ડ માટે ભાડાની માંગણી કરતા વિવાદ શરૂ થયો છે.
સાતમ-આઠમના તહેવારને લઈને રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓ તંત્ર દ્વારા શરૂકરવામાં આવી છે. રેસકોર્સ ગ્રાઉન્ડમાં 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન જન્માષ્ટમી લોકમેળો યોજાશે. રૂપિયા 12 કરોડનો વીમો, એઆઇ-ડ્રોન ટેકનોલોજી, સીસીટીવી સાથે સુરક્ષા માટે ચુસ્ત આયોજન કરવામાં આવ્યુ છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ કરૂણ અંજામ / ''મારે એને મારવી પણ નહોતી, પણ...'', WhatsAppમાં છેલ્લું સ્ટેટસ મૂકીને પતિએ ટ્રેન નીચે ઝંપલાવ્યું
ADVERTISEMENT
મેળામાં આ વર્ષે સુરક્ષાના ભાગરૂપે કોઈ પણ પ્રકારની લાપરવાહી કરવામાં ન આવે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત મુલાકાતીઓની જાગૃતિ અને સુરક્ષા માટે પ્રત્યેક રાઇડના પ્રવેશદ્વાર પર તેની ક્ષમતા, નિયમો અને અન્ય જરૂરી વિગતો દર્શાવતું ડિસ્પ્લે માહિતી બોર્ડ લગાવવું પણ અનિવાર્ય કરાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.