બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:11 PM, 13 August 2025
પૂણેની કોર્ટમાં કોંગ્રેસ સંસદ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે અને તેમ કહ્યું છે કે તેમના જીવને જોખમ છે. અને આ નિવેદન તેમણે સાવરકર પર તેમની ટિપ્પણીથી જોડાયેલા માનહાનિના મામલે કર્યું છે. તેમણે મહાત્મા ગાંધીની હત્યાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ઇતિહાસનું પુનરાવર્તન થવા દેવું જોઈએ નહીં. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે તેમણે તાજેતરમાં ઉઠાવેલા રાજકીય મુદ્દાઓ અને સાવરકર પર અગાઉ કરેલી ટિપ્પણીઓને કારણે તેમનો જીવ જોખમમાં છે. આ કેસમાં ફરિયાદી નાથુરામ ગોડસેના સીધા વંશજ છે.
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે તાજેતરમાં તેમણે ઉઠાવેલા રાજકીય મુદ્દાઓ અને સાવરકર પર અગાઉ કરેલી ટિપ્પણીઓને કારણે તેમની સુરક્ષા જોખમમાં છે. આ કેસમાં ફરિયાદી નાથુરામ ગોડસેના સીધા વંશજ છે. ફરિયાદીના પરિવારનો હિંસા અને ગેરબંધારણીય પ્રવૃત્તિઓનો દસ્તાવેજી ઇતિહાસ વિશે સૌ કોઈ જાણે છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે મને સ્પષ્ટ, તાર્કિક અને નક્કર શંકા છે કે મને નુકસાન પહોંચાડવામાં આવી શકે છે. ખોટા કેસોમાં ફસાવવામાં પણ આવી શકે છે. અથવા અન્ય રીતે નિશાન બનાવવામાં આવી શકે છે. ફરિયાદીના પરિવારનો ઇતિહાસ હિંસાસભર છે. ઇતિહાસનું પુનરાવર્તન થવા દેવું જોઈએ નહીં. તેમણે મહાત્મા ગાંધીની હત્યાના સંદર્ભમાં આ નિવેદન આપ્યું હતું.
ADVERTISEMENT
BJP નેતાઓ તરફથી ધમકી મળ્યાનો દાવો
રાહુલ ગાંધીએ કહ્યું કે ' વોટ ચોરી' ના આરોપોએ તેમના રાજનૈતિક વિરોધીઓને ભડકાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે BJP તરફથી તેમને બે સાર્વજનિક ધમકીઓ મળી ચૂકી છે. જેમાં કેન્દ્રિય મંત્રી રવીનીત સિંહ બિટ્ટુએ તેમને 'દેશના નંબર 1 આતંકવાદી' કહ્યા હતા. તો BJP નેતા તરવિંદર સિંહ મારવાહે તેમને ધમકી આપી છે. રાહુલ ગાંધીએ કોર્ટમાં આગ્રહ કર્યો કે તેમની સુરક્ષાને ગંભીરતાથી લેવામાં આવે કારણ કે તેમના જીવને જોખમ છે અને આ સ્થિતિ ગંભીર છે.
ADVERTISEMENT
વધુ વાંચો: ટ્રમ્પ-પુતિન બેઠક બાદ જયશંકર રશિયા જશે, ટેરિફ વોર વચ્ચે કરશે હાઈલેવલ બેઠક

ADVERTISEMENT
આ પગલું બિનજરૂરી: સત્યકી સાવરકર
તો બીજી તરફ સાવરકરના પૌત્ર સત્યકી સાવરકરે કહ્યું કે આ આવેદન ઘણા સમય પહેલા દાખલ કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ રાહુલ ગાંધી તરફથી આ મામલે જાણી જોઈને મોડું કરવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધીનું આ સ્ટેપ આ સમયે બિલકુલ અયોગ્ય છે. કોર્ટ પહેલા જ સ્પષ્ટ કરી ચૂકી છે કે આ મામલાની સુનાવણીમાં રાહુલ ગાંધીએ હજાર રહેવાની કોઈ જરૂર નાથી આમ છતાં પણ રાહુલ તરફથી આ અંમલે વિલંબ કરવામાં આવી રહ્યો છે. તેમની આ અરજી આ મામલા સાથે કોઇપણ રીતે સલગ્ન નથી અને કોઈના તરફથી તેને સમર્થન નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.