બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:42 PM, 10 July 2025
Income Tax Notice: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આવકવેરા વિભાગે શિંદે જૂથના નેતા અને સરકારમાં મંત્રી સંજય શિરસાટને નોટિસ મોકલી છે. અહેવાલો અનુસાર, માત્ર શિરસાટ જ નહીં, પરંતુ મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર અને સાંસદ શ્રીકાંત શિંદેને પણ નોટિસ ફટકારવામાં આવી છે.
ADVERTISEMENT

નોટિસ કેમ મોકલવામાં આવી?
ADVERTISEMENT
સંજય શિરસાટને તેમની સંપત્તિમાં વધારાને કારણે આ નોટિસ મોકલવામાં આવી છે. શિરસાટે મીડિયા સમક્ષ આવીને આ અંગે પોતાના મંતવ્યો આપ્યા છે. તેમણે કહ્યું છે કે આવકવેરા વિભાગ અને અન્ય એજન્સીઓ તેમનું કામ કરી રહી છે અને તેમાં કંઈ ખોટું નથી. શિરસાટે કહ્યું, "આવકવેરા વિભાગે 2019 અને 2024 વચ્ચે મારી સંપત્તિમાં થયેલા વધારા અંગે સ્પષ્ટતા માંગી છે. તેઓ તેમનું કામ કરી રહ્યા છે. હું આ નોટિસનો જવાબ આપીશ."

ADVERTISEMENT
'કોઈએ ફરિયાદ કરી હતી'
તેમણે વધુમાં કહ્યું, "કેટલાક લોકોએ મારી વિરુદ્ધ ફરિયાદ કરી હતી, જેના પર ધ્યાન આપતા આવકવેરા વિભાગે આ નોટિસ મોકલી છે. વિભાગે અમને 9 તારીખ સુધીમાં જવાબ આપવા કહ્યું હતું, પરંતુ અમે વધુ સમય માંગ્યો છે. અમે કંઈ ખોટું કર્યું નથી. તેઓ ફક્ત જાણવા માંગે છે કે મિલકત કેવી રીતે વધી. અમે તેમને કાનૂની રીતે જવાબ આપીશું."
ADVERTISEMENT

'કોઈ રાજકીય દબાણ નથી'
ADVERTISEMENT
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ કોઈ પ્રકારનું રાજકીય દબાણ છે, ત્યારે તેમણે સ્પષ્ટતા કરી, "મારા પર કોઈનું દબાણ નથી. હું એમ નથી કહેતો કે શિવસેનાને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. એજન્સીઓ ફક્ત તેમનું કામ કરી રહી છે."
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની ઝાટકણી કાઢી, લોકોની નાગરિકતા ચેક કરવાનું કામ તમારુ નથી
ADVERTISEMENT
'કંઈ ગંભીર નથી'
શિરસાટે કહ્યું કે આ મામલો બહુ ગંભીર નથી. અમે 2024 ના ચૂંટણી સોગંદનામામાં અમારી બધી માહિતી આપી હતી. તેમ છતાં, જો વિભાગને વધુ સ્પષ્ટતાની જરૂર હોય, તો અમે સંપૂર્ણ સહયોગ કરીશું. શ્રીકાંત શિંદેને પણ નોટિસ મળી છે. દરેકને નોટિસ મળે છે અને તેનો કોઈ રાજકીય અર્થ કાઢવો જોઈએ નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.