બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:10 AM, 14 October 2025
જાહેર ક્ષેત્રના NHAI એ સ્વચ્છ ભારત તરફ એક ખાસ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત હાઇવે પરના ટોલ પ્લાઝા પર ગંદા શૌચાલયોની જાણ કરનારાઓને તેમના FASTag એકાઉન્ટમાં 1,000 રૂપિયાનું ઇનામ મળશે. એટલે કે જોકોઈ પ્રવાસી ટોલ પ્લાઝા પર ગંદા શૌચાલય જુએ છે, તો તેઓ તેનો ફોટો મોકલી શકે છે અને 1,000 રૂપિયાનું ઇનામ મેળવી શકે છે. આ ઇનામ સીધા તેમના FASTag એકાઉન્ટમાં રિચાર્જ તરીકે જમા કરવામાં આવશે. આ અભિયાન દેશભરના તમામ નેશનલ હાઇવે પર 31 ઓક્ટોબર, 2025 સુધી ચાલુ રહેશે.
ADVERTISEMENT
એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નેશનલ હાઇવે પરથી પસાર થતા લોકો 'રાજમાર્ગયાત્રા' એપ્લિકેશનના નવા વર્ઝન દ્વારા જીઓ-ટેગ કરેલા ફોટો અપલોડ કરી શકે છે અને યુઝરનું નામ, સ્થાન, વાહન રજિસ્ટ્રેશન નંબર અને મોબાઇલ નંબર જેવી માહિતી આપી શકે છે. આવા મામલાની સૂચના આપનારા દરેક વાહન રજિસ્ટ્રેશન નંબર (VRN)ને FASTag રિચાર્જના રૂપમાં 1,000 રૂપિયાનું ઇનામ મળશે. આ ઇનામ યુઝર દ્વારા લિંક કરાયેલ વાહન રજિસ્ટ્રેશન નંબરમાં જમા કરવામાં આવશે. આ ઇનામ ન તો ટ્રાન્સફર કરી શકાશે અને ન તો તેને રોકડમાં રિડીમ કરી શકાશે.

ADVERTISEMENT
સરકારી નિવેદન પ્રમાણે, આ અભિયાન ફક્ત NHAI અધિકારક્ષેત્રમાં બાંધવામાં આવેલા અને સંચાલિત શૌચાલયોને જ લાગુ પડશે. રિટેલ પેટ્રોલ પંપ, ઢાબાઓ અથવા NHAIના નિયંત્રણની બહારની અન્ય જાહેર સુવિધાઓ પર સ્થિત અન્ય શૌચાલયોને આ અભિયાનમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. સાથે જ એમ પણ જણાવવામાં આવ્યું છે કે એક વાહન નંબરને ફક્ત એક જ વાર ઇનામ મળશે, અને જો એક જ દિવસમાં એક જ શૌચાલય માટે અનેક રિપોર્ટ મળે છે, તો ઇનામ માટે ફક્ત પ્રથમ માન્ય રિપોર્ટ જ ધ્યાનમાં લેવામાં આવશે. નિવેદનમાં જણાવાયું છે કે એપ્લિકેશન દ્વારા લેવામાં આવેલા ફક્ત સ્પષ્ટ, જીઓ-ટેગ કરેલા અને ટાઇમ-સ્ટેમ્પવાળા ફોટો જ ધ્યાનમાં લેવામાં આવશે. કોઈપણ ચેડા કરેલા, ડુપ્લિકેટ અથવા અગાઉ રિપોર્ટ કરેલા ફોટોને નકારવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: આવી રહ્યું છે વધુ એક મોટું વાવાઝોડું, આટલી જગ્યાએ મચાવશે કેર, IMDનું મોટું એલર્ટ
ADVERTISEMENT
આ અભિયાન સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા અને જાહેર જવાબદારી અને જાગૃતિ વધારવાનો પ્રયાસ છે. NHAIનું કહેવું છે કે લોકોની ભાગીદારી જ રસ્તાની બાજુની સુવિધાઓમાં સુધારો થઈ શકે છે. ગંદકીની ફરિયાદ કરનારાઓને ઇનામ આપીને સરકાર સાફ-સફાઈને એક જન આંદોલન બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. આ અભિયાન સ્વચ્છ ભારતની ભાવનાને ફરીથી પ્રોત્સાહિત કરનારું સાબિત થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.