બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / હાશ... અંતે બધું થાળે પડ્યું! નેપાળમાં હિંસા બાદ હવે એરપોર્ટ ખુલવા લાગ્યા, 120થી વધુ ભારતીયોએ ઉડાન ભરી
Last Updated: 08:47 AM, 11 September 2025
નેપાળમાં GenZનું વિરોધ પ્રદર્શન હિંસક પ્રદર્શનમાં ફેરવાઇ ગયા બાદ કાઠમંડુમાં ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું હતું અને ઇન્ડિગો અને એર ઇન્ડિયાની બધી ફ્લાઇટ્સ કેન્સલ કરી દેવામાં આવી હતી. ત્યારે હવે કાઠમંડુ એરપોર્ટ પરથી વિમાનનું સંચાલન ફરીથી શરૂ થઈ ગયું છે. એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સને વધારાની ફ્લાઇટ્સ ચલાવવાનો નિર્દેશ આપ્યો છે જેથી નેપાળમાં ફસાયેલા ભારતીયો સુરક્ષિત રીતે પરત ફરી શકે. બુધવારે નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું કે આવતીકાલથી નિયમિત ફ્લાઇટ્સ ફરી શરૂ થશે અને એરલાઇન્સને ભાડા વાજબી રાખવાની સલાહ આપવામાં આવી છે.
ADVERTISEMENT
Nepal protest: IndiGo to resume flights to Kathmandu, announces special relief services
— ANI Digital (@ani_digital) September 10, 2025
Read @ANI Story | https://t.co/XjC0QlDXe9#Nepalprotest #IndiGo #Kathmandu pic.twitter.com/LtABcxRZ9j
નેપાળમાં તાજેતરની અશાંત પરિસ્થિતિ વચ્ચે, કાઠમંડુ એરપોર્ટથી ફ્લાઇટ કામગીરી ફરી શરૂ થઈ છે. એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સ ભારતીયોને પરત લાવવા માટે ફ્લાઇટ્સ ચલાવવાની તૈયારી કરી રહી છે. બુધવારે, એર ઇન્ડિયાની એક ફ્લાઇટ 123 ભારતીય મુસાફરો સાથે દિલ્હી માટે રવાના થઈ હતી. આ સાથે, નેપાળથી ભારતીયોને પરત લાવવાની પ્રક્રિયા ઔપચારિક રીતે શરૂ થઈ ગઈ છે.
ADVERTISEMENT
Travel Advisory
— IndiGo (@IndiGo6E) September 10, 2025
In these extraordinary times in #Kathmandu, our priority is to reunite you with your loved ones.
Starting September 11, IndiGo shall resume 04 daily scheduled flights to and from Kathmandu.
In addition, subject to regulatory approvals, two special relief…
નેપાળના એરપોર્ટ ફરી ખુલ્યા
ADVERTISEMENT
કાઠમંડુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અસ્થાયી રીતે બંધ કર્યા પછી હવે ફરીથી એરપોર્ટ પર કામગીરી શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા નેપાળ એરલાઇન્સની ફ્લાઇટે ઉડાન ભરી, જ્યારે એર ઇન્ડિયાની ફ્લાઇટ સૌથી પહેલા લેન્ડ થઈ. હિમાલયન એરલાઇન્સ પણ ટૂંક સમયમાં તેની સેવાઓ શરૂ કરવા જઈ રહી છે. અધિકારીઓનું કહેવું છે કે જલ્દી જ સામાન્ય શેડ્યૂલ પણ લાગુ થઈ જશે.
ફ્લાઇટ્સ ફરી શરૂ
ADVERTISEMENT
નેપાળ સિવિલ એવિએશન ઓથોરિટીએ એક નિવેદનમાં જણાવ્યું કે બધી સ્થગિત ફ્લાઇટ્સ ફરી શરૂ કરી દેવામાં આવી છે. સુરક્ષા સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એરપોર્ટ ઓથોરિટીએ કહ્યું છે કે હવાઈ મુસાફરી કરતા મુસાફરો તેમની સંબંધિત એરલાઇન કંપનીઓનો સંપર્ક કરે. મુસાફરી દરમિયાન તમારી સાથે સત્તાવાર એરલાઇન ટિકિટ અને ઓળખ દસ્તાવેજો રાખો.

ADVERTISEMENT
કર્ફ્યુ લંબાવવામાં આવ્યો
નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શન બાદ હજુ પરિસ્થિતિ સામાન્ય નથી થઈ, પરંતુ શુક્રવાર સુધી કર્ફ્યુ લંબાવી દેવામાં આવ્યો છે. નેપાળ સેનાએ કાઠમંડુ, લલિતપુર અને ભક્તપુર જિલ્લામાં નવો કર્ફ્યુ અને પ્રતિબંધાત્મક આદેશો લાગૂ કર્યા છે. સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી જરૂરી કામ માટે મર્યાદિત અવરજવરની મંજૂરી આપવામાં આવશે. સાંજે 5 વાગ્યાથી બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે. હાલમાં, નેપાળમાં નવી હિંસાના કોઈ સમાચાર નથી, પરંતુ અત્યાર સુધીમાં મૃત્યુઆંક 30 સુધી પહોંચી ગયો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: પીએમ મોદી આજે વારાણસીમાં, કરશે મોરેશિયસના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો
ઉલ્લેખનીય છે કે ભારતના પાડોશી દેશ નેપાળની સરકારે 3 સપ્ટેમ્બરના રોજ ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. આના વિરોધમાં યુવાનોનું વિરોધ પ્રદર્શન એટલું હિંસક બની ગયું કે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા. યુવાનોએ સરકાર પડી દીધી. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ રાજીનામું આપી દીધું. નેપાળના રસ્તાઓ સળગવા લાગ્યા. સંસદ ભવનને આગ ચાંપી દેવામાં આવી. દરમિયાન જ્યારે પ્રદર્શનકારીઓએ એરપોર્ટ પરિસરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો, તો વહીવટીતંત્રે એરપોર્ટ પર ફ્લાઇટ સેવાઓ આંશિક રીતે સ્થગિત કરી દીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.