બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:44 PM, 28 July 2025
Operation Mahadev: જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના લિડવાસ વિસ્તારમાં ઓપરેશન મહાદેવ હેઠળ સેનાએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા છે. જમ્મુ કાશ્મીર પોલીસ અને સેનાએ સંયુક્ત ઓપરેશનમાં આ મોટી કાર્યવાહી હાથ ધરી. સોમવારે સુરક્ષા દળોની ટીમ અહીંના જંગલોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી, જ્યાં TRFના ત્રણ આતંકવાદીઓને ઘેરી લેવામાં આવ્યા હતા. આ વિસ્તાર શ્રીનગરની બહારનો છે, જ્યાં જંગલોમાં આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર થયું અને બધા આતંકીઓ ઠાર મરાયા.
ADVERTISEMENT
સોમવારે જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગરની બહારના વિસ્તારમાં આવેલા દાચીગામ ફોરેસ્ટ વિસ્તારમાં સર્ચ અને કોમ્બિંગ ઓપરેશન દરમિયાન ગોળીબારના અવાજો સંભળાયા. ઓપરેશન મહાદેવ હેઠળ અહીં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. માહિતી અનુસાર, આ એ જ આતંકવાદીઓ હોઈ શકે છે જે પહેલગામ હુમલામાં સામેલ હતા.
Chinar Corps of the Indian Army launches anti-terror Operation Mahadev in the general area of Lidwas in Jammu & Kashmir pic.twitter.com/6vyf9z1FrW
— ANI (@ANI) July 28, 2025
ADVERTISEMENT
જમ્મુ અને કાશ્મીર પોલીસ અને CRPFનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોની ટીમ દાચીગામ ફોરેસ્ટના ઉપરના ભાગમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. આ વિસ્તાર શ્રીનગરને ત્રાલ સાથે જોડે છે અને પર્વતીય માર્ગ પરથી પસાર થાય છે. ઓપરેશન દરમિયાન અચાનક ગોળીબારના અવાજો સંભળાયા, જેના કારણે વિસ્તારમાં તણાવ ફેલાયો.
સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે આતંકવાદી જૂથ TRF (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ) ના આતંકવાદીઓ આ વિસ્તારમાં છુપાયેલા હોઈ શકે છે. ખાસ કરીને દાચીગામ નેશનલ પાર્કને TRF આતંકવાદીઓનું મુખ્ય ઠેકાણું માનવામાં આવે છે. આ એ જ જૂથ છે જેને પહેલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલા માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT

દાચીગામના જંગલોમાં આતંકવાદી ઠેકાણા નષ્ટ
ADVERTISEMENT
જાન્યુઆરીની શરૂઆતમાં, દાચીગામના ગાઢ જંગલોમાં TRFના એક ઠેકાણાને નષ્ટ કરી દેવામાં આવ્યું હતું. તે કાર્યવાહી દરમિયાન પણ સુરક્ષા દળોને ભારે પડકારનો સામનો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો
આ ઘટનાને ધ્યાનમાં રાખીને, સોમવારે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવી દેવામાં આવ્યું છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં સુરક્ષા દળો હાજર છે. સ્થાનિક વહીવટીતંત્રે સામાન્ય નાગરિકોને આ વિસ્તારથી દૂર રહેવાની અપીલ કરી છે અને કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી શાંતિ જાળવવા જણાવ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.