બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'જ્યારે પાકિસ્તાને ભારત દ્વારા ખેંચાયેલી લાલ રેખા...', સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા પૂર્વે રિજિજૂએ જુઓ શું કહ્યું
Last Updated: 10:40 AM, 28 July 2025
Parliament Monsoon Session: સંસદના ચોમાસુ સત્રમાં આજથી પહેલગામ આતંકવાદી હુમલો અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ થવા જઈ રહી છે. માહિતી અનુસાર, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને વિદેશમંત્રી એસ જયશંકર લોકસભામાં સરકાર વતી આ ચર્ચાનું નેતૃત્વ કરશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે બપોરે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ કરશે. આ મામલો રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત છે અને સરકાર દ્વારા આ અંગે સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવશે.
ADVERTISEMENT
આતંકવાદ પર સરકારના 'મજબૂત' વલણને સ્પષ્ટ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હસ્તક્ષેપ કરી શકે છે. સંસદ સત્રના પહેલા અઠવાડિયાની ગતિરોધક કાર્યવાહી પછી આ ચર્ચા એક મહત્ત્વપૂર્ણ વળાંક છે, જ્યાં રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર NDA અને વિપક્ષ બંને સામસામે છે. ગરમાગરમ ચર્ચાની અપેક્ષા વ્યક્ત કરાઈ રહી છે.
સંસદમાં ચર્ચા શરૂ થાય તે પહેલાં કિરેન રિજિજુએ કરી પોસ્ટ
ADVERTISEMENT
Discussion on #OperationSindoor to begin today...
— Kiren Rijiju (@KirenRijiju) July 28, 2025
When Ravan crossed the Laxman Rekha, Lanka burned. When Pakistan crossed the red lines drawn by India, terrorist camps faced the fire!
जब रावण ने लक्ष्मण रेखा पार की, तो लंका जल गई। जब पाकिस्तान ने भारत द्वारा खींची गई लाल रेखा… pic.twitter.com/GHh6MtkzsL
લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ થાય તે પહેલાં, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું,
ADVERTISEMENT
"જ્યારે રાવણે લક્ષ્મણ રેખા પાર કરી, ત્યારે લંકા સળગી ગઈ. જ્યારે પાકિસ્તાને ભારત દ્વારા દોરવામાં આવેલી લાલ રેખા પાર કરી, ત્યારે પાકિસ્તાનને આગનો સામનો કરવો પડ્યો."

ADVERTISEMENT
સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પાંચ પ્રશ્નો પૂછ્યા છે
સાંસદ પ્રતિનિધિ મંડળનો ભાગ રહેલી પ્રિયંકા ચતુર્વેદીએ પાંચ પ્રશ્નો પૂછ્યા છે, અને સંસદમાં સરકાર પાસેથી જવાબોની આશા વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: આજે લોકસભામાં 'ઓપરેશન સિંદૂર' પર ચાલશે 16 કલાકની ચર્ચા, તો આવતીકાલે રાજ્યસભામાં
ADVERTISEMENT
લોકસભામાં આજે ચર્ચામાં ભાગ નહીં લે શશિ થરૂર
કોંગ્રેસ સાંસદ શશિ થરૂર આજે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચામાં ભાગ લેશે નહીં. માહિતી અનુસાર, આવી મહત્ત્વપૂર્ણ ચર્ચામાં બોલવા માંગતા સાંસદોએ કોંગ્રેસ સંસદીય પક્ષ (CPP) કાર્યાલય દ્વારા ઔપચારિક વિનંતી કરવી પડશે, પરંતુ અત્યાર સુધી શશિ થરૂરે આવી કોઈ વિનંતી કરી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.