બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:10 PM, 13 January 2026
આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ફરીએક વાર પાકિસ્તાનને ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાનને તેની હર એક હરકતનો જવાબ મળશે. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂરે ભારતની રણનૈતિક વિચાર અને નિર્ણાયક ક્ષમતાને સ્પષ્ટ રૂપે જોઈ છે. આ ઓપરેશન અંતર્ગત સેનાને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી હતી અને હજૂ પણ જરૂર પડશે તો તેઓ કાર્યવાહી કરવા માટે તૈયાર છે.
ADVERTISEMENT
ભારત-ચીન સીમાની સ્થિતિને લઈને સેના પ્રમુખે કહ્યું કે " હાલ પરિસ્થિતિ સ્થિર છે, પરંતુ અમારી સતત નજરની જરૂર છે." તેમણે જણાવ્યું કે આ વિશે વાતચીત ચાલુ છે જેના લીધે સ્થિતિને સામાન્ય બનાવી રાખવામાં મદદ મળી રહી છે. સાથે જ સીમા પર સેનાનું સંતુલન અને મજબૂતી પણ બની રહી છે.
'ભવિષ્યમાં ખોટી હરકતનો મુંહતોડ જવાબ....', જુઓ શું બોલ્યા ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી? #IndianArmy #GeneralUpendraDwivedi #NationalSecurity #DefenseNews #BreakingNews #GujaratNews #MilitaryStatement #VTVDigital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 13, 2026
Video Source: ANI pic.twitter.com/tRvXto1gE0
ADVERTISEMENT
પાકિસ્તાનને કડક સંદેશ આપતા જનરલ દ્વિવેદીએ કહ્યું કે
" પાકિસ્તાનની પરમાણુ ધમકીઓની હવા નીકળી ગઈ છે. ઓપરેશન સિંદૂર વખતે ભારતે બતાવી દીધું કે ભારત કોઈપણ કસોટીનો જવાબ આપવામાં સક્ષમ છે. "
ADVERTISEMENT
સેના પ્રમુખે વધુમાં કહ્યું કે " ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે અને પાકિસ્તાન તરફથી કોઈપણ અનિચ્છનીય બનાવનો જવાબ આપવામાં આવશે. કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં. ભારતની સેના દરેક સ્થિતિ સામે લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે."
ADVERTISEMENT
ADVERTISEMENT
સેના પ્રમુખે જણાવ્યું કે આપત સ્થિતિમાં લડવા માટે કોર કમાન્ડોને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે. કોઈપઆન સંકટના સમયે ત્વરિત નિર્ણય લઈને કાર્યવાહી કરી શકશે. તેમણે કહ્યું કે આ પગલું સેનાની તૈયારીઓને અને પ્રતિક્રિયાની ક્ષમતાને વધુ મજબૂત કરે છે. જનરલ દ્વિવેદીનું કહેવું છે કે પહેલગામ હુમલા પછી દેશે કડક અને નિર્ણાયક જવાબ આપવાનો નિર્ણય લીધો છે. આ ઓપરેશન સઇન્દોર અંતર્ગત યોજના બનાવી હતી અને તેને અંજામ આપવામાં આવ્યો હતો. સેના પ્રમુખે કહ્યું કે 7 મે ના રોજ આ 22 મિનિટમાં ઓપરેશનની શરૂઆત થઈ હતી ત્યારબાદ 10 મે સુધી આ 88 કલાક ચાલી હતી જેમાં આતંકીઓના ઘણા ઠેકાણા તોડી પડાયા હતા.
ADVERTISEMENT

સેના પ્રમુખે કહ્યું લે જમ્મુ કાશ્મીરમાં સકારાત્મક બદલાવના સંકેત દેખાય છે. તેમણે જણાવ્યું કે જે તેજીથી વિકાસ કર્યો થઈ રહ્યા છે ફરી પર્યટન ગતિવાન થઈ રહ્યું છે. અમરનાથની યાત્રા પણ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. આ યાત્રામાં 4લાખ થી વધુ ભક્તોએ દર્શન કર્યા હતા જે ગયા 5 વર્ષ કરતાં વધુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.