બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:34 AM, 17 July 2025
Amarnath Yatra Landslide: જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રા દરમિયાન એક મોટી દુર્ઘટના ઘટી. બુધવારે (16 જુલાઈ) બાલતાલના રેલપથરીમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું. આ દુર્ઘટનામાં એક યાત્રાળુ મહિલાનું મોત નીપજ્યું, જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થઈ ગયા. જોકે, આ દરમિયાન ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા. ભૂસ્ખલનને કારણે અમરનાથ યાત્રા પણ પ્રભાવિત થઈ.
ADVERTISEMENT
भारी बारिश और भूस्खलन ने अमरनाथ यात्रा को प्रभावित किया है। बालटाल के रेलपथरी क्षेत्र में बुधवार को हुए भूस्खलन में 8 तीर्थ यात्री घायल हो गए... pic.twitter.com/vkhXeEo8sV
— Ankit Rawal (@ankitrawal1182) July 17, 2025
આ ઘટના બાદ, અમરનાથ યાત્રામાં આ વર્ષે અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. ઘણા લોકો ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. તેમની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે.
ADVERTISEMENT
એક મહિલા યાત્રાળુનું મોત
માહિતી અનુસાર, આ દુર્ઘટના ઘટી ત્યારે યાત્રાળુઓ પવિત્ર ગુફા તરફ આગળ વધી રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે રેલપથરી નજીક ઝેડ ટર્ન પર ભૂસ્ખલન થતાં ચાર યાત્રાળુઓ ઘાયલ થયા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં એક મહિલાને મૃત જાહેર કરવામાં આવી. મૃતક મહિલાની ઓળખ સોનાબાઈ (55) તરીકે થઈ છે, જે રાજસ્થાનની રહેવાસી હતી. અન્ય ઘાયલોની સારવાર ચાલુ છે.
ADVERTISEMENT

જમ્મુથી રવાના નહીં થાય ભક્તોનો જથ્થો
ADVERTISEMENT
દરમિયાન, ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમરનાથ યાત્રા માટે જમ્મુના યાત્રી નિવાસથી ગુરુવારે (17 જુલાઈ) યાત્રાળુઓનો જથ્થો રવાના થશે નહીં. તેને આગામી આદેશો સુધી મુલતવી રાખવામાં આવ્યું છે. હવે હવામાન અનુકૂળ થશે એ પછી જ શ્રદ્ધાળુઓ અહીંથી રવાના કરવામાં આવશે. જણાવી દઈએ કે આ પહેલા વહીવટીતંત્રે 15 જૂથો સફળતાપૂર્વક મોકલી દીધા છે. જો શુક્રવારે હવામાન સ્વચ્છ રહેશે, તો જૂથ રવાના કરવામાં આવશે.
આ પણ વાંચો: VIDEO: વારાણસીમાં પૂરે તબાહી મચાવી, ગંગા નદીના જળસ્તરમાં વધારો, તમામ ઘાટ જળમગ્ન
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. આને કારણે, ભૂસ્ખલન થવાનો પણ ખતરો તોળાઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને હાલમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.