બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:44 PM, 4 July 2025
Krishna Janmabhoomi Case: મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહના કેસની શુક્રવારે અલ્હાબાદ હાઇકોર્ટમાં સુનાવણી થઈ. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હાઇકોર્ટે કૃષ્ણ જન્મભૂમિ શાહી ઇદગાહ સંબંધિત મિલકતને વિવાદિત જાહેર કરવાનો ઇનકાર કર્યો.
ADVERTISEMENT
કોર્ટના આ નિર્ણયથી હિન્દુ પક્ષકારોને આંચકો લાગ્યો છે. ન્યાયાધીશ રામ મનોહર નારાયણ મિશ્રાની કોર્ટે વાદી મહેન્દ્ર પ્રતાપ સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી.

ADVERTISEMENT
શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ કેસમાં, શાહી ઇદગાહને વિવાદિત માળખું જાહેર કરવાની અરજી પર શુક્રવારે અલ્હાબાદ હાઇકોર્ટમાં સુનાવણી થઈ. અગાઉ, કોર્ટે હિન્દુ પક્ષની અરજી પર કેસમાં નિર્ણય અનામત રાખ્યો હતો.

ADVERTISEMENT
ઉપરાંત, નિર્ણય માટે 4 જુલાઈની તારીખ નક્કી કરવામાં આવી હતી. શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ ન્યાસના પ્રમુખ મહેન્દ્ર પ્રતાપ સિંહે અલ્હાબાદ હાઇકોર્ટમાં માંગ કરી છે કે શાહી ઇદગાહને વિવાદિત માળખું જાહેર કરવામાં આવે, જેમ બાબરી મસ્જિદ કેસમાં કરવામાં આવ્યું હતું.

ADVERTISEMENT
એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે મથુરાની શાહી મસ્જિદ પણ શ્રી કૃષ્ણ જન્મભૂમિના મૂળ ગર્ભગૃહને તોડીને બનાવવામાં આવી હતી. જોકે, મુસ્લિમ પક્ષે હિન્દુ પક્ષની આ માંગનો વિરોધ કર્યો હતો.
આ પણ વાંચો : ઉધાર લેતા પહેલા ચેતજો! પૈસા પરત ન આપ્યા તો કોર્ટે 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો
ADVERTISEMENT
આ સાથે કોર્ટમાં લેખિત વાંધો પણ દાખલ કરવામાં આવ્યો હતો. બંને પક્ષોને સાંભળ્યા બાદ, ન્યાયાધીશ રામ મનોહર નારાયણ મિશ્રાની કોર્ટે શાહી ઇદગાહને વિવાદિત માળખું જાહેર કરવાની અરજી પર નિર્ણય અનામત રાખ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.