બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:56 AM, 19 December 2025
અડધીરાતે રાજ્યસભામાં પસાર થયેલ વિકસિત ભારત–ગારંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન એટલે કે VB-G RAM G બિલ, 2025 એ દેશની રાજનીતિમાં મોટો ઉથલપાથલ મચાવી દીધો છે. લોકસભા પછી રાજ્યસભામાં પણ આ બિલ ધ્વનિમતથી પાસ થતાં જ વિરોધ પક્ષોએ સરકાર સામે મોરચો ખોલ્યો છે. મનરેગાની જગ્યાએ લાવવામાં આવેલા આ નવા કાયદાને લઈને સત્તાપક્ષ અને વિરોધ પક્ષ આમને-સામને આવી ગયા છે.
ADVERTISEMENT
Kharge launches attack in Rajya Sabha over VB-GRAMG Bill, warns of nationwide protests
— ANI Digital (@ani_digital) December 18, 2025
Read @ANI Story | https://t.co/TsJ1KwJLtD#MallikarjunKharge #RajyaSabha #VBGRAMGBill pic.twitter.com/zLJIugJurW
રાજ્યસભામાં ગુરુવારની રાતથી શુક્રવારની વહેલી સવાર સુધી ચાલેલી લાંબી ચર્ચા બાદ બિલ પાસ થયું. ચર્ચા દરમિયાન કોંગ્રેસ, ડીએમકે અને અન્ય વિરોધી પક્ષોના સાંસદોએ બિલને સિલેક્ટ કમિટીને મોકલવાની માગ ઉઠાવી હતી. જ્યારે આ માગ સ્વીકારવામાં આવી નહીં, ત્યારે વિરોધ પક્ષોએ વોકઆઉટ કર્યો અને ત્યારબાદ અડધી રાત્રે જ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. અનેક સાંસદો પ્લકાર્ડ સાથે ધરણા પર બેસી ગયા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા.
ADVERTISEMENT
VB-G RAM G બિલ હેઠળ હવે ગ્રામિણ પરિવારોને દર વર્ષે 125 દિવસની મજૂરી આધારિત રોજગાર ગેરંટી મળશે, જે અગાઉ મનરેગા હેઠળ 100 દિવસ હતી. સરકારનું કહેવું છે કે આ યોજના ગ્રામિણ અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે અને ગરીબ પરિવારોને વધુ આવકની તક મળશે. કેન્દ્ર સરકારના મતે આ બિલ ‘વિકસિત ભારત’ના સંકલ્પ તરફનું મહત્વપૂર્ણ પગલું છે.
Opposition MPs Surjewala, Singhvi slam Centre over VB-G RAM G Bill 2025, warn of protests
— ANI Digital (@ani_digital) December 18, 2025
Read @ANI Story | https://t.co/LkN4bVgHus#VBGRAMGBill #Surjewala #protest pic.twitter.com/1xOnITSCoU
ADVERTISEMENT
કેન્દ્રિય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાને રાજ્યસભામાં ચર્ચા દરમિયાન કહ્યું કે આ કાયદો ગરીબો અને મજૂરોના હિતમાં છે અને કોંગ્રેસ મનરેગાના નામે રાજકારણ કરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે અગાઉની સરકારોએ મનરેગાનો ઉપયોગ મતબેંક માટે કર્યો હતો, જ્યારે નવી યોજના હેઠળ કામની ગુણવત્તા અને સમયસર ચુકવણી પર ખાસ ધ્યાન આપવામાં આવશે.
વિરોધ પક્ષોનો આરોપ છે કે મનરેગામાંથી મહાત્મા ગાંધીનું નામ હટાવવું એ માત્ર વહીવટી નિર્ણય નહીં પરંતુ વિચારધારાત્મક હુમલો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સરકારને ચેતવણી આપતાં કહ્યું કે આ કાયદો પણ ત્રણ કૃષિ કાયદાઓની જેમ અંતે પાછો ખેંચવો પડશે. તેમણે જણાવ્યું કે જો સરકાર ગરીબોની અવાજ નહીં સાંભળે, તો લોકો રસ્તાઓ પર ઉતરશે.
ADVERTISEMENT
Parliament passes Viksit Bharat -G RAM G Bill, opposition stages walkout
— ANI Digital (@ani_digital) December 18, 2025
Read @ANI Story | https://t.co/hwaaX89kIf#Parliament #ViksitBharat #walkout pic.twitter.com/dxperogsU7
કૉંગ્રેસના રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારીએ સ્પષ્ટ કહ્યું કે જ્યારે તેમની પાર્ટી ફરી સત્તામાં આવશે, ત્યારે મનરેગાને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવામાં આવશે અને મહાત્મા ગાંધીનું નામ ફરી જોડાશે. તેમણે સરકાર પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે આ કાયદો ગ્રામિણ ભારતના વિશ્વાસને તોડે છે.
ADVERTISEMENT
બિલની જોગવાઈ મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે ફંડનું વહેંચાણ 60:40 રહેશે, જ્યારે ઉત્તર-પૂર્વી અને પહાડી રાજ્યો માટે 90:10નો અનુપાત રહેશે. રાજ્ય સરકારોને ખેતીના વ્યસ્ત મોસમ દરમિયાન 60 દિવસ અગાઉથી નક્કી કરવાની સત્તા આપવામાં આવી છે. સરકારનું માનવું છે કે આ લવચીકતા ગ્રામિણ મજૂરો માટે લાભદાયી સાબિત થશે.
લોકસભામાં પણ આ બિલના સમયે ભારે હોબાળો થયો હતો. વિરોધ પક્ષોના સાંસદોએ બિલની નકલો ફાડી સ્પીકરની ખુરશી તરફ ફેંકી હતી અને સરકાર વિરુદ્ધ નારાબાજી કરી હતી. હવે બંને સભાઓમાંથી બિલ પસાર થતાં તે રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે, પરંતુ રાજકીય ગરમાવો હજી લાંબો ચાલે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
વધુ વાંચો: PM મોદી ઓમાનના સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી સન્માનિત, સુલતાન હૈથમ તારિકે કર્યું સન્માન
આ બિલને લઈને દેશભરમાં ચર્ચા તેજ બની છે. એક તરફ સરકાર તેને ગ્રામિણ વિકાસ માટેનું ક્રાંતિકારી પગલું ગણાવી રહી છે, તો બીજી તરફ વિરોધ પક્ષો તેને ગરીબ વિરોધી અને ઐતિહાસિક યોજના ખતમ કરવાનો પ્રયાસ કહી રહ્યા છે. આવનારા દિવસોમાં આ મુદ્દે રાજકીય ટકરાવ વધુ ઉગ્ર બનશે તે નક્કી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.