બ્રેકિંગ ન્યુઝ
National News: તમિલનાડુના વંડલુર ઝુંમાંથી એક સિંહ ગુમ થયો છે. સફારી વિસ્તારમાં છોડવામાં આવ્યા પછી આ ઘટના બની હતી. જ્યારે સિંહ સાંજ સુધી પાછો ન ફર્યો, ત્યારે અધિકારીઓની ચિંતા વધી ગઈ હતી. હાલ સિંહને લઈને એક સર્ચ ઓપરેશન પર હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ફોરેસ્ટ વિભાગ સહિતના અધિકારીઓ સામેલ છે.
ADVERTISEMENT
તામિલનાડુમાં જે સિંહ ગુમ થયો છે તે રાષ્ટ્રીય પશુ વિનિયમ કાર્યક્રમ હેઠળ ગુજરાતના સક્કરબાગ ઝુંમાંથી લઈ જવામાં આવ્યો હતો. આ નવા સિંહને સફારી વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો. વંડલુર ઝુંમાં કુલ છ સિંહ છે, જેમાંથી એક જ સમયે પ્રવાસીઓ માટે ખુલ્લુ રાખવામાં આવે છે, જ્યારે બાકીના ચારને પાંજરામાં જ રાખવામાં આવ્યા છે. આ ઘટના ચેંગલપટ્ટુ જિલ્લામાં ચેન્નાઈની સીમમાં સ્થિત વંડલુરના અરિગ્નાર અન્ના ઝુંમાં બની હતી.
ADVERTISEMENT

વધુ વાંચો : યુરોપના આ દેશના PMનો કાર્યકાળ એક મહિનાનો પણ ન રહ્યો, ધરી દીધું રાજીનામું
ADVERTISEMENT
વંડલુરના અરિગ્નાર અન્ના ઝૂઓલોજિકલ પાર્ક દક્ષિણ એશિયાનું સૌથી મોટું ઝું છે, જે આશરે 1,500 એકરમાં ફેલાયેલું છે. તેમાં 2,400 થી વધુ પ્રાણીઓ અને પક્ષીઓ રહે છે. વંડલુર પ્રાણી સંગ્રહાલયમાં વાઘ, સિંહ, રીંછ, હાથી, જિરાફ, હરણ સહિતના વિવિધ પ્રકારના પ્રાણીઓ તેમજ પક્ષીઓ જોવા મળે છે. નોંધનીય છે કે, જે સિંહ ગુમ થયો છે તે ખાસ છે. ક્યુરેટરે આ સિંહોના જન્મને ખાસ ગણાવ્યો છે કારણ કે આ બચ્ચા એશિયાટિક સિંહની પ્રજાતિના છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.