બ્રેકિંગ ન્યુઝ
Bus Safety Issues: આજે ભયાનક દુર્ઘટના બની છે, જેમાં હૈદરાબાદથી બેંગલુરુ જતી એક ખાનગી બસ એક બાઈક સાથે અથડાયા બાદ આગ ભડભડ સળગી ઉઠી હતી. આ દુર્ઘટના આંધ્રપ્રદેશના કુર્નૂલમાં બની હતી.
ADVERTISEMENT
આ દુર્ઘટના પહેલા આવી અનેક દુર્ઘટના બની ચૂકી છે, ત્યારે બસ સળગવાની ઘટનામાં સેફ્ટી અંગે પણ સવાલો ઉભા થાય છે. રોજ હજારો લોકો ખાનગી કે સરકારી બસમાં મુસાફરી કરતા હોય છે, ત્યારે આવી ઘટના બને છે તો લોકોનો જીવ કેમ બચી શક્તો નથી તેવો સવાલ પણ ઉભો થાય છે.
ADVERTISEMENT
હૈદરાબાદથી બેંગલુરુ જતી બસ થોડીવારમાં જ આગનો ગોળો બની ગઈ હતી. આ દુર્ઘટનામાં 20 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. પીડિતો એટલા ખરાબ રીતે ભૂંજાયા કે તેમની ઓળખ કરવી મુશ્કેલ હતી. અગાઉ, 14 ઓક્ટોબરના રોજ જેસલમેરમાં એક ચાલતી બસમાં આગ લાગી હતી, જેમાં આવી જ એક ઘટનામાં 21 લોકોએ જીવ ગુમાવ્યો હતો. હવે સવાલ એ થાય છે કે આવી ઘટનાઓ વારંવાર કેમ બની રહી છે.
ADVERTISEMENT
આંધ્રપ્રદેશની ઘટનામાં એવું બહાર આવ્યું છે કે એક બાઈક બસ સાથે અથડાઈને નીચે ફસાઈ ગઈ હતી, જેના કારણે આગ લાગી હતી. કુર્નૂલ રેન્જના ડીઆઈજી કોયા પ્રવીણે સમજાવ્યું કે આગ લાગ્યા પછી શોર્ટ સર્કિટને કારણે બસનો દરવાજો લોક થઈ ગયો હતો, જેના કારણે મુસાફરો બહાર નીકળી શક્યા ન હતા. જેસલમેરની ઘટનામાં પણ બસનો દરવાજો જામ થઈ ગયો હતો, જેના કારણે લોકો અંદર ફસાયા હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
દર વખતે આગ લાગવાને કારણે બસનો દરવાજો જામ થઈ જાય છે અને બસ ગેસ ચેમ્બરમાં ફેરવાઈ જાય છે.બસમાં બેઠેલા લોકો ગૂંગળાઈ જાય જાય છે અને પછી તેઓનો જીવ જતો રહે છે. આગ લાગ્યા પછી બસનો દરવાજો જામ થવાનું સાચું કારણ બસનું ઇન્ટીરીયર અને વાયરિંગ છે.

ADVERTISEMENT
બસનું ઇન્ટીરીયર એવી રીતે બનાવવામાં આવે છે કે સીટો અને સીલિંગ ફોમ અને રેક્સિનથી બનેલી હોય છે જે આગને ઝડપથી પકડી લે છે. આ બંને વચ્ચે વાયરનું નેટવર્ક નાખવામાં આવે છે. ઇલેક્ટ્રિકલ ખામી અથવા શોર્ટ સર્કિટની સ્થિતિમાં એક નાનો તણખો પણ આખી બસને આગમાં ફેરવી નાખે છે.
બસોમાં ઘણીવાર વધુ મુસાફરોને બેસાડવા માટે વધુ સીટો હોય છે. આનાથી બસની સીટો વચ્ચેનું અંતર સાંકડું થઈ જાય છે એટલે ઈમરજન્સીમાં ભાગવામાં નડતરરુપ બને છે લોકો અટવાય જાય છે. એક ફાયર અધિકારીના જણાવ્યું હતું કે 'જ્યારે બસમાં આગ લાગે છે, ત્યારે તાપમાન થોડીક સેકન્ડોમાં 100 ડિગ્રી સેલ્સિયસથી વધી શકે છે.'
વધુ વાંચો : VIDEO : ચાલુ કારે ફટાકડા ફોડીને જાહેર રસ્તા પર ફેંક્યા, નબીરાએ રીલ પણ બનાવી
હવે કેટલીક લકઝરી બસો ખાસ કરીને વોલવોમાં તો એસી પણ હોય છે, એટલે એસીના વાયરિંગમાં શોર્ટ સર્કિટ લાગે તો પણ બસમાં ભીષણ આગ લાગી જાય છે. કેટલીક બસોમાં લાકડાનું ઇન્ટીરીયર હોય છે જે આગને ઝડપી પકડી લે છે તો સીટ પણ સ્પંજની હોય છે અને કવર પણ એવા હોય છે જેનાથી આગ ઝડપથી ફેલાય જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.