બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'જૂની બોટલમાં નવો દારૂ...' રાહુલ ગાંધીના આરોપો પર ચૂંટણી પંચનો પલટવાર

નેશનલ / 'જૂની બોટલમાં નવો દારૂ...' રાહુલ ગાંધીના આરોપો પર ચૂંટણી પંચનો પલટવાર

Maulik Patel

Last Updated: 09:03 PM, 8 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવામાં આવ્યા હતા. તેના જવાબમાં ચૂંટણી પંચે કહ્યું હતું કે રાહુલના આરોપની સ્ક્રિપ્ટ જૂની છે. ચૂંટણી પંચે વધુમાં યાદ અપાવ્યું કે આવો આરોપ 2018માં કામલનાથે લગાવ્યો હતો જે સુપ્રીમ કોર્ટે નકાર્યો હતો.

ECI replies to Rahul Gandhi: તાજેતરમાં કોંગ્રસ સાંસદ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર નકલી સરનામાં, ઓળખ, ઇલેક્ટ્રોનિક ડેટા ન આપવા, મતદાર યાદીમાં ગડબડ, બીજેપીની મદદ અને સંવિધાનનું ઉલ્લંઘન જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા. હવે ચુંટણી પંચે રાહુલના સવાલ અને આરોપોને લઈને જવાબ આપ્યા છે.

ચૂંટણી પંચએ રાહુલ ગાંધી દ્વારા લગાવેલા આરોપ પર શું કહ્યું ?

રાહુલ ગાંધી દ્વારા ગુરુવારે પ્રેસ કૉંફરેન્સમાં ચૂંટણી પંચને જવાબ આપ્યો હતો. ચૂંટણી પંચે કહ્યું છે કે રાહુલની સ્ક્રિપ્ટ જૂની છે. આ જૂની બોટલમાં નવી દારૂ જેવું છે. કમિશને સ્પષ્ટતા કરી છે કે હવે જે આરોપો લગાવવામાં આવી રહ્યા છે તે પણ 2018માં મધ્યપ્રદેશના તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે લગાવ્યા હતા. ત્યારબાદ તેમણે એક ખાનગી વેબસાઇટ પરથી ડેટા ડાઉનલોડ કરીને સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો હતો. જોકે, સત્ય એ હતું કે જે ખામીઓ વિશે વાત કરવામાં આવી રહી હતી તેને ચાર મહિના પહેલા સુધારવામાં આવી હતી અને તેની નકલ પાર્ટીને આપવામાં આવી હતી.

vtv app promotion

તે સમયે, કમલનાથે 'શોધી શકાય તેવી PDF' મતદાર યાદીની માંગણી સાથે કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. ચૂંટણી પંચે કહ્યું કે હવે 2025માં, જ્યારે તેઓ જાણે છે કે જૂની યુક્તિ કામ કરશે નહીં, ત્યારે મીડિયા દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવા માટે આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે ઘણી જગ્યાએ મતદાર યાદીમાં એક જ નામ નોંધાયેલું છે. ચૂંટણી પંચે કહ્યું કે 'આદિત્ય શ્રીવાસ્તવ' ના નામમાં રહેલી વિસંગતતા, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે તેમના મતદાર કાર્ડ ત્રણ રાજ્યોમાં બનાવવામાં આવ્યા હતા, તે પણ ઘણા મહિનાઓ પહેલા સુધારી લેવામાં આવ્યું હતું.

વધુમાં વાંચો: 'અમેરિકા પર 50% ટેરિફ લગાવે મોદી સરકાર...' શશિ થરૂરે ટ્રમ્પ પર સાધ્યું નિશાન

કમિશને કહ્યું કે કમલનાથ કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલો નિર્ણય કાયદાનો સ્થાયી નિર્ણય છે. રાહુલ ગાંધી દ્વારા વારંવાર એક જ પ્રશ્નો ઉઠાવવા યોગ્ય નથી. આમ કરવાથી એવું લાગે છે કે તેઓ સુપ્રીમ કોર્ટનો આદર કરતા નથી. કમિશને કહ્યું કે જો મતદાર કાર્ડમાં કોઈ ગડબડ હોય, તો તેના પર વાંધો ઉઠાવવા અને ફરિયાદ કરવા માટે પહેલાથી જ સ્પષ્ટ માર્ગદર્શિકા છે. રાહુલ ગાંધીએ પણ આ જ કાનૂની પ્રક્રિયાનું પાલન કરવું જોઈતું હતું. પરંતુ, તેમણે મીડિયામાં પાયાવિહોણા આરોપો લગાવ્યા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

supereme court Rahul Gandhi allegations Election commission of India Replied
Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ