બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:47 PM, 12 November 2025
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ નવા તાર ખૂલતા જાય છે. તાજેતરમાં થયેલા ખુલાસા મુજબ, શંકાસ્પદ આતંકવાદી ડૉ. ઉમર નબી 6 ડિસેમ્બર બાબરી મસ્જિદ ધ્વંસની વર્ષગાંઠના દિવસે એક વિશાળ આતંકી હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો. તેનું લક્ષ્ય દિલ્હીને હચમચાવીને આખા દેશમાં ભય ફેલાવવાનો હતો.
ADVERTISEMENT

ફરીદાબાદમાં ધરપકડ કરાયેલા આઠ શંકાસ્પદોની પૂછપરછ દરમિયાન આ ભયાનક કાવતરાનો ખુલાસો થયો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બધા લોકો કાશ્મીર, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલા “વ્હાઇટ કોલર” આતંકવાદી મોડ્યુલનો ભાગ હતા. આ મોડ્યુલ પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલ હોવાનું પણ જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
કાશ્મીરના પુલવામા જિલ્લાના રહેવાસી 28 વર્ષીય ડૉ. ઉમર નબી 10 નવેમ્બરના રોજ વિસ્ફોટકોથી ભરેલી i20 કાર ચલાવી રહ્યો હતો. લાલ કિલ્લા નજીક થયેલા આ વિસ્ફોટમાં ઉમર નબી સહિત 12 લોકોનાં મોત થયા. તપાસમાં ખુલ્યું કે ઉમર આ આતંકી કાવતરાનો મુખ્ય માગજ હતો અને તેણે VBIED (વાહન-બોર્ન ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) બનાવવાની યોજના ઘડી હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ કાવતરાનો પર્દાફાશ ત્યારે થયો, જ્યારે ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીના શિક્ષક ડૉ. મુઝમ્મિલ અહેમદ ગનાઈ (ઉર્ફે મુસૈબ)ની ધરપકડ થઈ. તેમના રૂમમાંથી 360 કિલોગ્રામ એમોનિયમ નાઈટ્રેટ મળી આવ્યું. પોલીસે આ જપ્તીની માહિતી જાહેર કરતાં જ ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ સમય પહેલાં જ થયો.

ADVERTISEMENT
તપાસમાં જાણવા મળ્યું કે ઉમર નબીનો શૈક્ષણિક રેકોર્ડ ખૂબ ઉત્તમ હતો, પરંતુ એકાંતમાં રહેવાની ટેવ અને ધાર્મિક યાત્રા પછી તે સંપૂર્ણપણે બદલાઈ ગયો. વર્ષ 2021માં તે ડૉ. ગનાઈ સાથે તુર્કી ગયો હતો, જ્યાં તેઓ જૈશ-એ-મોહમ્મદના સભ્યોને મળ્યા. પાછા ફર્યા પછી બંને આતંકવાદના માર્ગે આગળ વધ્યા અને યુનિવર્સિટીમાં જ વિસ્ફોટકો એકઠા કરવા લાગ્યા.
ADVERTISEMENT
તેમણે એમોનિયમ નાઈટ્રેટ, પોટેશિયમ નાઈટ્રેટ અને સલ્ફર જેવા પદાર્થો ભેગા કરીને VBIED બનાવવા માટે ઇન્ટરનેટ પરથી ટ્યુટોરિયલ્સ જોયા. ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં હુમલાની તૈયારી ચાલી રહી હતી. પરંતુ ફરીદાબાદ પોલીસને 2,900 કિલોગ્રામ વિસ્ફોટકો મળી આવતા આખું મોડ્યુલ એક્સપોઝ થઈ ગયું. ઉમર નબી ભયભીત થઈ ગયો અને મસ્જિદમાં છુપાઈ ગયો. થોડા કલાકો પછી તે તેની કારમાં નીકળ્યો અને લાલ કિલ્લા પાસે વિસ્ફોટ કર્યો.

પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે VBIED સંપૂર્ણપણે એસેમ્બલ થયું ન હતું, તેથી વધુ નુકસાન થતા અટકી ગયું હતું. અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા 7 લોકો કાશ્મીરના છે, જેમા આરીફ નિસાર ડાર, યાસીર-ઉલ-અશરફ, મક્સૂદ અહેમદ ડાર, મૌલવી ઇરફાન અહેમદ, ઝમીર અહેમદ અહંગર, ડૉ. મુઝમ્મિલ અહેમદ ગનાઈ અને ડૉ. અદીલનો સમાવેશ થાય છે. લખનૌના ડૉ. શાહીન સઈદની પણ ધરપકડ થઈ છે.
આ પણ વાંચો : VIDEO: આવું કોણ કરે? ચાલતી ટ્રેનમાં શખ્સે કર્યું એવું કામ કે વીડિયો વાયરલ
પોલીસના જણાવ્યા અનુસાર, ઉમર નબી 26 ઓક્ટોબરે કાશ્મીર ગયો હતો અને પોતાના મિત્રો-સંબંધીઓને કહ્યું હતું કે તે ત્રણ મહિના સુધી ઉપલબ્ધ નહીં રહે. આ બતાવે છે કે વિસ્ફોટ બાદ તે ભૂગર્ભમાં જવાનો પ્લાન બનાવી ચૂક્યો હતો. આ આખી ઘટનાએ સુરક્ષા એજન્સીઓને ચેતવી દીધી છે અને દિલ્હીમાં સુરક્ષા વધારાઈ છે. તપાસ એજન્સીઓ હવે અન્ય રાજ્યોમાં પણ આ આતંકી નેટવર્કના તાર શોધી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.