બ્રેકિંગ ન્યુઝ
National: દેશભરમાં આજે 79માં સ્વતંત્રતા પર્વ ઉજવણી કરવામાં આવી છે, ત્યારે રાજધાનીમાંથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યાં છે, જેમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા હોવાનું કહેવાય રહ્યું છે. આ ઉપરાંત કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાની પણ માહિતી સામે આવી છે. ગંભીર દુર્ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ, વહીવટી તંત્ર અને પોલીસ દોડતી થઈ ગઈ છે.
ADVERTISEMENT
ફાયર બ્રિગેડ અને NDRFની ટીમો ઘટનાસ્થળે
આ દુર્ઘટના દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં હુમાયુના મકબરા (humayun's tomb) પાસે બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ફાયર બ્રિગેડ અને NDRFની ટીમો ઘટનાસ્થળે હાજર છે, અને રાહત અને બચાવ કામ ચાલી રહ્યું છે. દિલ્હી પોલીસના જણાવ્યાનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10થી 12 લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે, જ્યારે મૃતકોમાં ત્રણ મહિલા તેમજ 2 પુરુષોના મોત થયા છે. ફાયર વિભાગના અધિકારીએ કહ્યું હતું કે, 'દરગાહ શરીફ પટ્ટે શાહના હુજરાની છતનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. જેના કાટમાળ નીચે અનેક લોકો દબાઈ ગયા હતા.
ADVERTISEMENT
#WATCH | Delhi | Portion of the roof of a room at Dargah Sharif Patte Shah, located in the Nizamuddin area, collapses; Police and Fire Department personnel on the spot; Area cordoned off pic.twitter.com/dMAEcJrlQn
— ANI (@ANI) August 15, 2025
દુર્ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો
ADVERTISEMENT
આજે શુક્રવાર હોવાથી મોટી સંખ્યામાં નમાજ માટે દરગાહે આવ્યા હતા. જો કે અચાનક થયેલી દુર્ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકોમાં દોડાદોડી થઈ ગઈ હતી. વરસાદને કારણે લોકો અંદર નમાજ પઢી રહ્યા હતા, ત્યારે છત ધરાશાયી થઈ હતી. છતની હાલત અતિ જર્જરિત હતી. બચાવેલા તમામ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના સમયે હાજર લોકોના જણાવ્યા મુજબ, દુર્ઘટના સમયે 20 કરતા પણ વધારે લોકો હાજર હતા. NDRF ટીમે અત્યાર સુધીમાં ઘણા લોકોને બચાવી લીધા છે.

ADVERTISEMENT
વધુ વાંચો : આખરે ખબર પડી ગઈ જગદીપ ધનખડ ક્યાં છે, સામે આવી ચોંકાવનારી અપડેટ
મૃત્યુઆંક વધવાની શક્યતા
ADVERTISEMENT
આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હજુ પણ 7થી પણ વધારે લોકો કાટમાળ નીચે દટાયેલા હોઈ શકે છે. દિલ્હી ફાયર સર્વિસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'અમને બપોરે લગભગ 5 વાગ્યાની આસપાસ ઘટનાની માહિતી મળી હતી, ત્યારબાદ તાત્કાલિક 5 ફાયરની ગાડીને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.