બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:36 AM, 3 June 2025
Delhi High Court : દિલ્હી હાઈકોર્ટે બળાત્કાર પીડિતોના મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (MTP) અંગે હોસ્પિટલો માટે જરૂરી માર્ગદર્શિકા જાહેર કરી છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, હોસ્પિટલો કોર્ટ દ્વારા આદેશિત મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (MTP) કેસોમાં ડાયગ્નોસ્ટિક ટેસ્ટ અથવા અલ્ટ્રાસાઉન્ડ મેળવવા માટે સગીર બળાત્કાર પીડિતો પાસેથી ઓળખનો પુરાવો માંગી શકતી નથી.
ADVERTISEMENT
એક મહત્વપૂર્ણ ચુકાદામાં ન્યાયાધીશ સ્વર્ણકાંત શર્માએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, હોસ્પિટલો અને તબીબી સંસ્થાઓએ જાતીય હુમલાના કેસોમાં ખાસ કરીને સગીર છોકરીઓ સાથે સંકળાયેલા કેસોમાં સંવેદનશીલ અને પ્રતિભાવશીલ અભિગમ અપનાવવો જોઈએ. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આવા કેસોને ખાસ હેન્ડલિંગની જરૂર છે અને કડક પ્રોટોકોલ સમયસર તબીબી સંભાળમાં અવરોધ ન લાવવો જોઈએ.
ઓળખપત્રના અભાવે સગીરની તપાસમાં વિલંબ
ADVERTISEMENT
કોર્ટે આ આદેશ 17 વર્ષની સગીર પીડિતાના કેસની સુનાવણી દરમિયાન આપ્યો હતો જેને ગર્ભપાત માટે AIIMS હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ ઓળખપત્રના અભાવે તેની અલ્ટ્રાસાઉન્ડ તપાસમાં 13 દિવસનો વિલંબ થયો હતો. હકીકતમાં પોલીસની હાજરી હોવા છતાં ડોક્ટરોએ પીડિતા પાસે કોઈ ઓળખપત્ર ન હોવાનું કહીને અલ્ટ્રાસાઉન્ડ કરાવવાનો ઇનકાર કર્યો હતો. આ કારણે 13 દિવસનો વિલંબ થયો અને જ્યારે અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવ્યો ત્યારે કહેવામાં આવ્યું કે, ગર્ભાવસ્થા 25 અઠવાડિયાથી વધુ છે. આ પછી ડોક્ટરોએ કહ્યું કે, કોર્ટના આદેશ વિના હવે મેડિકલ બોર્ડ તપાસ કરી શકાતી નથી.

ADVERTISEMENT
આ પણ વાંચો : દુશ્મનો થરથર કાપશે, ભારતીય યુદ્ધ જહાજો અરબી સમુદ્રમાં ઉતરશે, દરિયા કિનારે તોપો ગર્જશે
હોસ્પિટલો પીડિતનું ઓળખપત્ર માંગી શકતી નથી
ADVERTISEMENT
હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે કે, જ્યારે બળાત્કાર પીડિતા (સગીર હોય કે પુખ્ત) ને પોલીસ સાથે અથવા કોર્ટ અથવા બાળ કલ્યાણ સમિતિ (CWC) ના નિર્દેશ પર હોસ્પિટલમાં લાવવામાં આવે છે ત્યારે હોસ્પિટલ કે ડૉક્ટર ઓળખ માટે ઓળખપત્રની માંગણી કરી શકતા નથી. આવી સ્થિતિમાં પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવેલી ઓળખ પૂરતી ગણવામાં આવશે. કોર્ટે કહ્યું કે, તબીબી પ્રોટોકોલ ફક્ત કાનૂની જરૂરિયાતોનું પાલન કરવા પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ પરંતુ તે સહાનુભૂતિ, વ્યવહારુ વિચારસરણી અને જાતીય હિંસાનો ભોગ બનતી મહિલાઓને પડતી મુશ્કેલીઓની ઊંડી સમજણ દ્વારા પણ માર્ગદર્શન આપવું જોઈએ. હકીકતમાં કોર્ટ એક સગીર બળાત્કાર પીડિતા દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી જેણે તબીબી ગર્ભપાતની માંગ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.