બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:41 AM, 16 September 2025
Dehradun Cloudburst : ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદના કારણે પરિસ્થિતિ વિકટ બની ગઈ છે. અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન, પૂર અને રસ્તાઓ બંધ થવાના કારણે સ્થાનિક જનતાને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને દહેરાદૂનના સહસ્ત્રધારા વિસ્તારમાં વાદળ ફાટવાના બનાવે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે. આ સંકટ વચ્ચે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે ફોન પર વાત કરી. તેમણે રાજ્યમાં ચાલી રહેલી પરિસ્થિતિ વિશે વિગતે જાણકારી મેળવી અને દરેક રીતે મદદ માટે કેન્દ્ર સરકારના સંકલ્પને પુષ્ટિ આપી.
ADVERTISEMENT

PM મોદી અને અમિત શાહે મુખ્યમંત્રીને આશ્વાસન આપ્યું કે, રાહત અને બચાવ કામગીરીમાં કોઇ કમી નહીં રહે. આ માટે NDRF તેમજ SDRFની ટીમોને તાત્કાલિક અસરથી સક્રિય કરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને તાત્કાલિક ખોરાક, પાણી તથા તબીબી સેવા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
Prime Minister Narendra Modi and Union Home Minister Amit Shah spoke with Uttarakhand CM Pushkar Singh Dhami over the phone today to get a detailed update on the situation arising from heavy rainfall in Uttarakhand. They assured all possible assistance, emphasising that the…
— ANI (@ANI) September 16, 2025
મુખ્યમંત્રીએ પણ કેન્દ્ર સરકારને રાજ્ય સરકારે હાથ ધરેલા પગલાંની વિગત આપી છે. એક 'ડબલ એન્જિન' સરકાર તરીકે, ઉત્તરાખંડ સરકારે આફત સમયે કેન્દ્રના સહયોગથી ઝડપી અને સુદૃઢ કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેનો તાત્કાલિક સંકલન ખૂબ જ નોંધપાત્ર છે. વડા પ્રધાન અને ગૃહમંત્રીનું ત્વરિત પ્રતિસાદ એ બતાવે છે કે, કુદરતી આપત્તિઓ સામે લડવા માટે સરકાર સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.
ADVERTISEMENT
उत्तराखण्ड में अतिवृष्टि से उत्पन्न स्थिति पर आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी एवं केंद्रीय गृह मंत्री श्री @AmitShah जी ने दूरभाष पर जानकारी प्राप्त की और हरसंभव सहयोग का आश्वासन दिया। इस दौरान उन्हें प्रभावित क्षेत्रों में किए जा रहे राहत एवं बचाव कार्यों की जानकारी…
— Pushkar Singh Dhami (@pushkardhami) September 16, 2025
આ પણ વાંચો : VIDEO: પ્રસિદ્ધ પર્યટન સ્થળ પર વાદળું ફાટ્યું! અંધારામાં ચારેયકોર તબાહી, મંજર ડરામણું
ADVERTISEMENT
દહેરાદૂનના સહસ્ત્રધારા વિસ્તારમાં વાદળ ફાટવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. અત્યારની સૌથી મોટી જરૂરિયાત એ છે કે, રાહત કામગીરીમાં ગતિ લાવવી અને લોકોને વહેલી તકે સહાય પહોંચાડવી. આગામી દિવસોમાં જો વાતાવરણ સ્થિતિ વધારે બગડે તો સરકારને હજુ વધુ મજબૂત અને યોગ્ય પગલાં લેવા પડશે. હવે જોવાનું એ રહે છે કે રાજ્ય સરકાર કેન્દ્રની મદદથી આ સંકટનો સામનો કેવી રીતે કરે છે અને લોકોને કેટલી ઝડપથી સામાન્ય જીવનમાં પાછા લાવવામાં સક્ષમ છે.

ADVERTISEMENT
આ પણ વાંચો : મંદિર ડૂબ્યું! હોટલોનો સત્યાનાશ, હાઈવે ધોવાયો, સહસ્ત્રધારામાં આભ ફાટ્યું, જુઓ VIDEO
દેહરાદૂનના પ્રસિદ્ધ પર્યટન સ્થળ સહસ્ત્રધારામાં ગઈકાલે મોડી રાત્રે ભારે વરસાદ બાદ વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ધોધમાર વરસાદ અને વાદળ ફાટવાથી સહસ્ત્રધારાની ઘણા દુકાનો ધોવાઈ ગઈ છે અને પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ અકસ્માતમાં હાલમાં સુધી ઓછામાં ઓછા બે લોકો ગુમ છે. રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે. જિલ્લા વહીવટીતંત્ર, SDRF (સ્ટેટ ડિસાસ્ટ રિસ્પોન્સ ફોર્સ) અને પોલીસ તંત્ર સ્થળ પર પહોંચીને રાતભર કામગીરીમાં જોડાયેલા છે. સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કાર્યવાહી પૂર્ણ થવાની કગારે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.