બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:55 PM, 6 April 2026
PM Modi In Assam : PM મોદીએ આજે આસામમાં ચૂંટણી સભા સંબોધી હતી. આસામના બારપેટા ખાતે યોજાયેલી ચૂંટણીસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે, પાર્ટી દેશના હિતોથી વધુ રાજકીય લાભને મહત્વ આપે છે અને ઘણીવાર સેનાના શૌર્ય પર પણ પ્રશ્નો ઉઠાવે છે.
ADVERTISEMENT
વડાપ્રધાને જણાવ્યું કે, સર્જિકલ સ્ટ્રાઈક અને હવાઈ હુમલાઓ જેવા મુદ્દાઓ પર કોંગ્રેસે વારંવાર શંકા વ્યક્ત કરી છે, જેનાથી દુશ્મન દેશોને ફાયદો થાય છે. તેમણે દાવો કર્યો કે “ઓપરેશન સિંદૂર” દરમિયાન ભારતીય સેનાએ ખૂબ જ ઝડપથી અને અસરકારક રીતે કામગીરી કરી હતી, છતાં કોંગ્રેસે એ જ ગીત ગાયું જેની ધૂન પાકિસ્તાને તૈયાર કરી હતી.
शांति और विकास के लिए कांग्रेस को असम से दूर रखना बहुत जरूरी है। pic.twitter.com/CFvJgNUVdF
— Narendra Modi (@narendramodi) April 6, 2026
ADVERTISEMENT
આ ઉપરાંત, તેમણે “વન રેન્ક, વન પેન્શન”(OROP)મુદ્દે કોંગ્રેસની ટીકા કરી અને કહ્યું કે, વર્ષો સુધી આ મુદ્દો લટકાવવામાં આવ્યો હતો, જ્યારે ભાજપ સરકારે તેને અમલમાં મૂકી સૈનિકોને ન્યાય આપ્યો. તેમણે કોંગ્રેસ પર આરોપ મૂક્યો કે તે સશસ્ત્ર દળોના હિતોમાં ઉણપ રાખતી આવી છે.

ADVERTISEMENT
વડાપ્રધાને ઘુસણખોરીના મુદ્દે પણ કોંગ્રેસને નિશાન બનાવ્યું. તેમના મુજબ, કોંગ્રેસ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવા કરતાં તેનો વિરોધ કરે છે અને કેટલીક નીતિઓ દ્વારા ઘુસણખોરોને પરોક્ષ રીતે સહારો આપે છે.
આ પણ વાંચો : જોઇ લો સનાતનનો પ્રેમ! સીમા હૈદરના પાંચમા-છઠ્ઠાં પુત્રના નામ બન્યા ચર્ચાનો વિષય
ADVERTISEMENT
ખેડૂતો અંગે બોલતાં તેમણે જણાવ્યું કે ભાજપ સરકાર સીધી સહાય ખેડૂતોના ખાતામાં પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. તેમની દૃષ્ટિએ, લાંબા ગાળાના વિકાસ માટે સ્પષ્ટ યોજના સાથે કામ કરવાનું ભાજપનું મુખ્ય લક્ષ્ય છે, જ્યારે કોંગ્રેસ પરંપરાગત રાજકારણમાં જ અટવાઈ ગઈ છે. આ રીતે, સમગ્ર ભાષણમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસની નીતિઓ અને કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠાવતા પોતાની સરકારની સિદ્ધિઓ અને દૃષ્ટિકોણને આગળ રાખ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.