બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / નાગપુર હિંસાના માસ્ટરમાઇન્ડ ફહીમ ખાનની ધરપકડ, નીતિન ગડકરી વિરૂદ્ધ હારી ચૂક્યો છે ઇલેક્શન
Last Updated: 02:53 PM, 19 March 2025
મહારાષ્ટ્રના નાગપુરમાં સોમવારે ફાટી નીકળેલી હિંસાના માસ્ટરમાઇન્ડ ફહીમ શમીમ ખાનની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપ છે કે ફહીમે લોકોને ઉશ્કેરીને ભીડ એકઠી કરી હતી. કોર્ટે તેને 21 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. પોલીસે દાવો કર્યો છે કે આ હિંસા પાછળ મુખ્ય આરોપી, 38 વર્ષીય ફહીમ શમીમ ખાન જવાબદાર છે. શમીમ માઇનોરિટી ડેમોક્રેટિક પાર્ટી (MDP) નો નાગપુર શહેર પ્રમુખ છે.
ADVERTISEMENT
#WATCH | Maharashtra: On Nagpur violence, DCP Rahul Maknikar says, "The situation is under control. The investigation is underway. We have formed 10 teams. We have detained 50 people so far..." pic.twitter.com/QfHWPxkbvV
— ANI (@ANI) March 19, 2025
ફહીમ ખાને 2024ની લોકસભા ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સામે ચૂંટણી લડી હતી. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ફહીમે ભડકાઉ ભાષણો આપીને સમુદાયના લોકોને ઉશ્કેર્યા હતા, જેના પછી નાગપુરમાં હિંસા ફાટી નીકળી હતી. એફઆઈઆરમાં પણ તેનું નામ નોંધાયેલું છે. મળતી માહિતી મુજબ, ફહીમ ખાન નાગપુરના સંજય બાગ કોલોની યશોધરા નગરનો રહેવાસી છે.
ADVERTISEMENT
#WATCH | Maharashtra: Vehicles torched and stones pelted in Hansapuri area of Nagpur; further details awaited.
— ANI (@ANI) March 17, 2025
Earlier, another clash had broken out in the Mahal area of Nagpur between two groups. pic.twitter.com/bT6hzfw8vc
નીતિન ગડકરી સામે લડી ચુક્યો છે લોકસભા ચૂંટણી
તેને 2024ની લોકસભા ચૂંટણી નાગપુર બેઠક પરથી માઇનોરિટી ડેમોક્રેટિક પાર્ટી (MDP) ની ટિકિટ પર લડી હતી, જેમાં તેને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી મેદાનમાં ઉતર્યા પછી, તે રાજકીય રીતે સક્રિય થઈ ગયો અને શહેરમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે નાગપુર હિંસા એક પૂર્વ-આયોજિત કાવતરું હતું. ફહીમ ખાને કેટલાક કટ્ટરપંથી લોકોને ભેગા કર્યા અને આયોજનબદ્ધ રીતે રમખાણો ભડકાવવાનું કામ કર્યું.
#WATCH | Maharashtra: Morning visuals from the Mahal area of Nagpur, where a clash took place last night following a dispute between two groups. pic.twitter.com/U83N4nNULx
— ANI (@ANI) March 18, 2025
જણાવી દઈએ કે ઔરંગઝેબની કબરના વિવાદે સોમવારે હિંસક રૂપ લીધું હતું. મહારાષ્ટ્રના નાગપુરના મહાલમાં સોમવારે રાત્રે બે જૂથો વચ્ચેના વિવાદ બાદ હિંસા ફાટી નીકળી હતી. મહાલ પછી, મોડી રાત્રે હંસપુરીમાં પણ હિંસા થઈ હતી. અજાણ્યા લોકોએ દુકાનોમાં તોડફોડ કરી અને વાહનોને આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન ભારે પથ્થરમારો થયો હતો. હિંસા બાદ ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. આ હિંસામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસે 60 થી વધુ તોફાનીઓની અટકાયત પણ કરી હતી.
આ પણ વાંચો: મહિલાએ પહેલા પ્રેમીને પછી પતિને બોલાવ્યો, જ્યારે પોલીસ પહોંચી તો ચોંકી ઉઠી
ઔરંગઝેબની કબર અંગે શું છે વિવાદ?
અભિનેતા વિક્કી કૌશલની ફિલ્મ 'છાવા' રિલીઝ થઈ એ પછી ઔરંગઝેબનો મુદ્દો ગરમાયો હતો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ થોડા દિવસ પહેલા ઔરંગઝેબની કબર હટાવવાની વાત કરી હતી. સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ ઔરંગઝેબને એક સારા શાસક ગણાવતા કહ્યું કે તેઓ માને છે કે ઔરંગઝેબ ક્રૂર ન હતો. આ પછી વિવાદ વધુ વકર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ફિલ્મો દ્વારા ઔરંગઝેબની ખોટી છબી રજૂ કરવામાં આવી રહી છે. ત્યારથી, ઔરંગઝેબની કબરને હટાવવાની માંગ તીવ્ર બની છે. થોડા સમય પહેલા, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે ધમકી આપી હતી કે જો સરકાર ઔરંગઝેબની કબર નહીં હટાવે, તો બાબરી જેવું જ પરિણામ આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
તારાજી / Video: 'હમ એક હી રાત મેં...', ભૂસ્ખલનથી જમ્મુ-કાશ્મીરના રામબનમાં કેવી તબાહી મચી? જુઓ લાઇવ દ્રશ્યો
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.