બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / હું રાહુલ ગાંધીને જેલમાં મોકલીશ... હિમંતા બિસ્વા શર્માનો ગુસ્સે સાતમાં આસમાને, જાણો શું છે કારણ ?
Last Updated: 11:36 PM, 17 July 2025
Himanta Biswa Sarma : ગુરુવારે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ વખતે તેમનો ગુસ્સો સીધો રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે પર ભડકી ઉઠ્યો છે. હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે, બંને નેતાઓએ એવા નિવેદનો આપ્યા જેનાથી આસામમાં હિંસા ભડકી. પોલીસ રાહુલ ગાંધી અને ખડગે સામે કાર્યવાહી કરવામાં અચકાશે નહીં. આસામના મુખ્યમંત્રીએ કહ્યું, રાહુલ ગાંધી મને જેલ મોકલવાની વાત કરે છે, હું તેમને જેલ મોકલીશ. મારી પાસે બે કેસ છે, પણ હું અત્યારે વ્યસ્ત છું.
ADVERTISEMENT
આસામના પૈકન વિસ્તારમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા ફાટી નીકળતાં આ વિવાદ વધુ વકર્યો જેમાં 22 પોલીસકર્મીઓ ઘાયલ થયા. એકનું મોત પણ થયું હોવાના અહેવાલ છે. હિમંત બિસ્વા શર્માએ કહ્યું કે, પોલીસ પર લાકડીઓ, લોખંડના સળિયા અને સાંકળોથી હુમલો કરવામાં આવ્યો. તેમની પાસે ગોળીબાર કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. કોંગ્રેસ આસામમાં બળજબરીથી આંદોલન બનાવવાનો પ્રયાસ કરી રહી છે જેથી વિસ્થાપન ઝુંબેશને રોકી શકાય. પરંતુ કોંગ્રેસના નેતાઓએ મારી વાત સ્પષ્ટપણે સાંભળવી જોઈએ અમારા કામને કોઈ રોકી શકશે નહીં.
I was born in Assam & I am a true Assamese. I give no importance to Rahul Gandhi. Congress workers are angrier than me over his remark about my arrest. Two FIRs are already filed against him in Assam. I can arrest him today itself! CM Himanta Biswa Sarma. pic.twitter.com/LbF1Npx4CL
— Nandan Pratim Sharma Bordoloi (@NANDANPRATIM) July 17, 2025
ADVERTISEMENT
શું કહ્યું આસામનાં મુખ્યમંત્રીએ ?
આસામના મુખ્યમંત્રીએ રાહુલ ગાંધીને પડકાર ફેંકતા કટાક્ષમાં કહ્યું કે, કોંગ્રેસનો એક જ ચૂંટણી સૂત્ર છે જો સરકાર બનશે તો અમે હિમંતાને જેલમાં મોકલીશું. પણ હું આજે જ રાહુલ ગાંધીને જેલમાં મોકલી શકું છું. તેમની સામે બે કેસ છે, હું અત્યારે વ્યસ્ત છું! સરમાએ કહ્યું કે, રાહુલ ગાંધીએ જે કહ્યું તે ક્યાંય લખ્યું નથી, પરંતુ જો જરૂર પડશે તો તે તે બહાર લાવશે. હું દૂધ પીનાર બાળક નથી. હું માતાના દૂધ પર મોટો થયો છું.
ADVERTISEMENT
Assam CM Himanta Biswa Sarma tweets, "Rahul Gandhi came to Assam and openly encouraged encroachers to occupy forest land. Emboldened by his reckless words, today a violent mob attacked our police and forest personnel while attempting to forcefully encroach upon the Paikan Reserve… pic.twitter.com/6mJtMutB37
— ANI (@ANI) July 17, 2025
આ પણ વાંચો : '...તો ભાજપ 150 સીટ પણ નહીં જીતે' BJP સાંસદ નિશિકાંત દુબેનું મોટું નિવેદન
ADVERTISEMENT
હિમંતા શર્માએ દાવો કર્યો હતો કે, આજે કોંગ્રેસમાં જે કંઈ બચ્યું છે તે પણ તેમનું યોગદાન છે. તેમણે એમ પણ કહ્યું કે, કોંગ્રેસની રેલીમાં કોઈ ભીડ નહોતી, લોકો પૈસા માટે આવ્યા હતા. પોલીસ રાહુલ ગાંધી અને ખડગેના ભાષણોની સમીક્ષા કરશે. જો કાયદાનું ઉલ્લંઘન જોવા મળશે તો કાર્યવાહી કરવામાં આવશે. સરકારે સ્પષ્ટ કર્યું કે. વિસ્થાપન અભિયાન ચાલુ રહેશે, ભલે તેનો વિરોધ કોણ કરે.
असम में बंगाली हिंदू सुरक्षित हैं, लेकिन TMC को सिर्फ बंगाली मुसलमानों की चिंता है। अगर उन्हें बंगाली हिंदुओं से इतना प्रेम है, तो फिर उन्होंने CAA का विरोध क्यों किया? pic.twitter.com/bZLNRPg60C
— Himanta Biswa Sarma (@himantabiswa) July 17, 2025
ADVERTISEMENT
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પશ્ચિમ બંગાળના મમતા પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, મમતા માટે પ્રશ્ન એ છે કે, શું તેમને બંગાળીઓ ગમે છે કે ફક્ત મુસ્લિમ બંગાળીઓ... મને લાગે છે કે, મમતા બેનર્જી ફક્ત મુસ્લિમ બંગાળીઓને જ પસંદ કરે છે. જો તેઓ ફક્ત મુસ્લિમ બંગાળીઓ માટે આસામ આવે છે તો આસામના લોકો અને બંગાળી હિન્દુઓ તેમને બક્ષશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.