બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:43 PM, 13 July 2025
જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લાના ખુદવાની વિસ્તારમાં એક દુર્ઘટનાની ઘટના સામે આવી છે, જ્યાં અમરનાથ યાત્રાના કાફલાની ત્રણ બસો એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માત શ્રીનગર-જમ્મુ નેશનલ હાઇવે પર તચલુ ક્રોસિંગ નજીક થયો હતો, જ્યારે યાત્રાળુઓ બાલતાલ તરફ જઈ રહ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં 10 થી વધુ યાત્રાળુઓ ઘાયલ થયા હતા. બસોની સ્પીડ અને ત્રાટકવાના કારણે બસોમાં બેઠેલા કેટલાક યાત્રાળુઓને ઈજાઓ પણ પહોંચી હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘાયલ થયેલા યાત્રાળુઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના એક ડૉક્ટરે જણાવ્યું કે ઘાયલ યાત્રાળુઓને તરત પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જો કે લગભગ 9 યાત્રાળુઓને વધુ સારી સારવાર માટે સરકારી મેડિકલ કોલેજ (GMC) અનંતનાગ રિફર કરવામાં આવ્યા છે. ડૉક્ટર મુજબ તમામ ઘાયલ યાત્રાળુઓની ઈજાઓ સામાન્ય છે અને હાલ તેઓની સ્થિતિ સ્થિર છે.

ADVERTISEMENT
આ પણ વાંચો : જંગલની ગુફાઓમાંથી મળી રશિયન મહિલા, 7 વર્ષની પુત્રીઓ અને ચોંકાવનારો મામલો
ADVERTISEMENT
વહીવટીતંત્રએ જણાવ્યું કે યાત્રાળુઓની ભલાઈ માટે તમામ જરૂરી પગલાં લેવાયા છે. તેમને આરામદાયક સારવાર મળે અને કોઈ મુશ્કેલી ન આવે તે માટે આરોગ્ય વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોને સક્રિય કરવામાં આવ્યા છે. યાત્રાના સમયગાળામાં આવાં અકસ્માતોને ટાળવા માટે મુસાફરી દરમિયાન પૂરતી સાવચેતી રાખવા સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે. યાત્રાળુઓની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે પોલીસ અને વહીવટી તંત્ર સતત તૈનાત છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.