બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:42 AM, 17 September 2025
જાન્યુઆરીમાં કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી. સાથે જ કહ્યું હતું કે આ પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. ત્યારે માનવામાં આવ્યું કે આ વખતે કેન્દ્ર સરકાર નવો રેકોર્ડ બનાવશે. કારણ કે અગાઉ જેટલા પણ પગાર પંચ રચાયા છે, તેમની ભલામણો તૈયાર થવા અને અમલમાં આવવામાં લગભગ બે-અઢી વર્ષ લાગી ગયા હતા.
ADVERTISEMENT
આ વખતે સરકાર પાસે એક વર્ષથી પણ ઓછો સમય હતો. હવે તો ફક્ત સો દિવસ જ બાકી રહ્યા છે, છતાં પંચની રચના થઈ નથી. અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક થઈ નથી. જ્યારે પંચ જ નથી બન્યું તો કર્મચારી સંગઠનો સાથે બેઠક કેવી રીતે થાય? સભ્યો પ્રવાસ પણ નહીં કરી શકે. કર્મચારી સંગઠનોને આશા છે કે આ મહિનામાં પંચની રચના થશે.
સભ્યોની નિમણૂકમાં વિલંબ
ADVERTISEMENT
‘નેશનલ મિશન ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ ભારત’ના અધ્યક્ષ મંજીતસિંહ પટેલનું કહેવું છે કે સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે આઠમા પગાર પંચ માટે જરૂરી સ્ટાફની ભરતી શરૂ થઈ ગઈ છે. પરંતુ હજી સભ્યોની નિમણૂકનું એલાન થયું નથી. શક્ય છે કે આઠમા પગાર પંચની ભલામણો લાગુ થવામાં વિલંબ થાય.
અગાઉના બધા પગાર પંચની સરખામણીમાં આ વખતે સરકાર પાસે ખૂબ ઓછો સમય છે, લગભગ 100 દિવસ. ટેક્નિકલ રીતે વાત કરીએ તો આટલા ઓછા સમયમાં પંચની રચના અને તેની ભલામણો લાગુ થવી મુશ્કેલ લાગે છે. સરકાર એક વિકલ્પ રૂપે ‘ફિટમેન્ટ ફેક્ટર’ને ‘બેઝિક પે’થી બદલવા જેવી કાર્યવાહી કરી શકે છે. સાતમા પગાર પંચ વખતે જે ‘પે મેટ્રિક્સ’ બનાવાયો હતો, એ જ ફરી વાપરી શકાય. તેમાં ફક્ત આંકડા બદલીને કામ ચાલી શકે.
ADVERTISEMENT
કેટલો હોઈ શકે ફિટમેન્ટ ફેક્ટર?
ડૉ. પટેલના જણાવ્યા મુજબ, પે મેટ્રિક્સ ‘ડૉ. એક્રોયડ’ ફોર્મ્યુલા પરથી નક્કી કરવામાં આવ્યો છે. હવે ફક્ત ફિટમેન્ટ ફેક્ટર પર કામ કરવાનું બાકી છે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.0 આવે તો હાલનું 18,000 રૂપિયાનું મિનિમમ બેઝિક વેતન વધીને 36,000 રૂપિયા થઈ જશે. જો 1.9 રાખવામાં આવશે તો 18,000ની જગ્યાએ બેઝિક 34,200 રૂપિયા થશે. પરંતુ આ સરકારની મરજી પર આધારિત છે કે કેટલો ફેક્ટર નક્કી કરે. હાલ પે મેટ્રિક્સમાં 18 લેવલ છે. શક્ય છે કે સરકાર આઠમા પગાર પંચમાં કેટલાક લેવલ્સને મર્જ પણ કરી દે.
ADVERTISEMENT
હજી સુધી કોઈ સ્પષ્ટતા આવી નથી
આ પહેલી વાર હશે કે એક વર્ષથી પણ ઓછા સમયમાં પંચ સંબંધિત બધા કામ પૂરાં થવાના છે. પરંતુ હજી સુધી ચેરમેન કોણ હશે, કેટલા સભ્યો હશે, તેની જાહેરાત નથી થઈ. થોડા સમય પહેલા નાણાં મંત્રાલયના વ્યય વિભાગે આઠમા પગાર પંચના કાર્ય માટે 35 જગ્યાઓની વિગતો જાહેર કરી હતી. આ જગ્યાઓ પર પ્રતિનિયુક્તિથી ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ માટે પાંચ વર્ષની એપીએઆર અને વિજિલન્સ ક્લિયરન્સ વગેરેના નિર્દેશો પણ જારી થયા છે.
ADVERTISEMENT
સરકાર દ્વારા સૂચનો માંગવામાં આવ્યા હતા
પગાર પંચની રચના પહેલા સરકારે બધા હિતધારકો પાસેથી ‘ટર્મ્સ ઓફ રેફરન્સ’ (TOR) માટે સૂચનો માગ્યા હતા. નેશનલ કાઉન્સિલ-જેસીએમની સ્થાયી સમિતિની બેઠક 10 ફેબ્રુઆરીએ બોલાવવામાં આવી હતી, જેમાં આઠમા CPCના સંદર્ભ શરતો પર ચર્ચા થઈ હતી. કર્મચારી સંગઠનોએ પોતાની માંગણીઓ સરકારને મોકલી દીધી હતી. પરંતુ હજી સુધી સરકારએ ‘ટર્મ્સ ઓફ રેફરન્સ’ જાહેર નથી કર્યા. બીજી તરફ, સરકાર પહેલેથી જ જાહેર કરી ચૂકી છે કે આઠમો પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે.
ADVERTISEMENT
કોન્ફેડરેશન ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઇઝ એન્ડ વર્કર્સના મહાસચિવ એસ.બી. યાદવનું કહેવું છે કે, પગાર રિવિઝન દસ વર્ષે નહીં, પણ પાંચ વર્ષે થવું જોઈએ.
અગાઉ લાગતો હતો લાંબો સમય
મોંઘવારી વધી રહી છે, ત્યારે દસ વર્ષની હાલની અવધિ કર્મચારીઓ અને પેન્શનરો માટે અનુકૂળ નથી. ચેરમેન અને સભ્યો ક્યારે નિયુક્ત થશે તે હજી અસ્પષ્ટ છે. TOR શું હશે તેની પણ માહિતી નથી. આ બધું જાહેર થશે ત્યારે જ સ્પષ્ટતા થશે. જો સરકાર ઇચ્છે તો આ વખતે નવો રેકોર્ડ બની શકે છે, કારણ કે ભૂતકાળમાં ભાગ્યે જ આવું બન્યું છે કે બે વર્ષથી ઓછા સમયમાં પંચની રચના, ભલામણો અને અમલીકરણ થયું હોય.
યાદવના જણાવ્યા મુજબ, પહેલાં પંચના સભ્યો માહિતી એકત્ર કરવા વિદેશ પ્રવાસે જતા. અલગ-અલગ દેશોના કર્મચારી સંગઠનોના પગાર માળખાનો અભ્યાસ કરતા. આ અભ્યાસ પ્રવાસમાં ઘણો સમય જતો. પરંતુ હવે બધું ડિજિટલ થઈ ગયું છે.
મનમોહન સરકારમાં કેટલો સમય લાગતો હતો?
હવે કોઈપણ દેશની માહિતી ઓનલાઇન ઉપલબ્ધ છે. અન્ય દેશોના અર્થતંત્ર અને નીતિઓનો અભ્યાસ ડિજિટલ માધ્યમથી થઈ શકે છે. એટલે શક્ય છે કે આ વખતે ઓછો સમય લાગે. મનમોહનસિંહ સરકારના સમયમાં પંચની રચનાથી લઈને અમલ સુધી 18 મહિના લાગતા હતા. તે પહેલા તો બે-અઢી વર્ષ લાગી જતાં. માત્ર રિપોર્ટ પર વિચારણા અને અમલીકરણમાં જ છ મહિના અથવા વધારે સમય લાગતો.
સંસદમાં પણ સ્પષ્ટ જવાબ નહીં
સંસદના સત્રમાં આઠમા પગાર પંચ અંગે પ્રશ્ન પૂછાયા હતા, ક્યારે સત્તાવાર અધિસૂચના આવશે, અધ્યક્ષ અને સભ્યોની પસંદગી ક્યારે થશે, ભલામણો રજૂ કરવા સમયમર્યાદા શું છે? પરંતુ સરકારએ એકેય મુદ્દે ચોક્કસ તારીખ જાહેર કરી નથી. એટલે કે ક્યારે સૂચના બહાર પડશે, ક્યારે અધ્યક્ષ-સભ્યો નિયુક્ત થશે, તેની કોઈ સ્પષ્ટતા નથી.
TORને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે
નેશનલ કાઉન્સિલની જેસીએમે 18 જૂને કેબિનેટ સચિવને પત્ર લખ્યો હતો. તેમાં TOR જાહેર કરવાની માંગણી થઈ હતી. ડીઓપીટીએ જણાવ્યું હતું કે સરકારે આઠમા પગાર પંચ રચવાનો નિર્ણય કર્યો છે અને TORને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. જેસીએમએ પોતાનાં સૂચનો પહેલા જ આપી દીધાં છે, છતાં હજી સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર સંદેશો મળ્યો નથી.
જેસીએમના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ શું કહ્યું?
મિશ્રાના જણાવ્યા મુજબ, આ કારણે કર્મચારીઓ અને પેન્શનરોમાં સંશય છે. TORમાં શું લખાયું છે, કર્મચારીઓની માગણીઓને કેટલો વજન અપાયો છે, તે સ્પષ્ટ નથી. TORનો દસ્તાવેજ જાહેર ન થતાં સરકારે કરેલી જાહેરાત અંગે વિશ્વસનીયતા પર પણ પ્રશ્નો ઉભા થયા છે.
પેન્શનરોમાં પણ અનિશ્ચિતતા
ફક્ત કર્મચારીઓ જ નહીં, પણ પેન્શનરો પણ આઠમા પગાર પંચ અંગે નિશ્ચિત નથી. કારણ કે હજી સુધી તેમને ખબર નથી કે પેન્શન વધશે કે નહીં. મોંઘવારી ભથ્થા (DA) અંગે પણ સવાલો છે. આ કારણે પેન્શનરોમાં અસુરક્ષા વધી ગઈ છે. એટલે સરકારએ તાત્કાલિક પગાર પંચ રચી, TOR જાહેર કરવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.