બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / એકીસાથે 8 મંત્રીઓએ રાજીનામું આપી દેતાં મચ્યો હડકંપ, રાજ્યપાલને મળ્યાં મુખ્યમંત્રી, શું કારણ?
Last Updated: 02:43 PM, 16 September 2025
મંગળવારે ઉત્તર-પૂર્વીય રાજ્ય મેઘાલયના રાજકારણમાં એક મોટો ઘટનાક્રમ જોવા મળ્યો. રાજ્યના આઠ મંત્રીઓએ એકસાથે રાજીનામું આપ્યું હતું જે પછી મુખ્યમંત્રી રાજ્યપાલને મળ્યાં હતા.
ADVERTISEMENT
મંત્રીમંડળ વિસ્તરણ પહેલાં રાજીનામું
વાસ્તવમાં, મેઘાલયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે. આ જ કારણ છે કે મંગળવારે આઠ મંત્રીઓએ રાજ્યપાલને રાજીનામું આપ્યું. રાજીનામું આપનારાઓમાં એએલ હેક, પોલ લિંગડોહ અને એમ્પારીન લિંગડોહ સહિત આઠ મંત્રીઓના નામનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
રાજ્યપાલને રાજીનામા સુપરત કર્યા
એનપીપીના નેતૃત્વ હેઠળના મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ સરકારના વડા મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ રાજભવન ખાતે રાજ્યપાલ સીએચ વિજયશંકરને મળ્યા અને મંત્રીઓના રાજીનામા સુપરત કર્યા.
ADVERTISEMENT
નવા મંત્રીઓ મંગળવારે સાંજે શપથ લેશે
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે મેઘાલય કેબિનેટનું વિસ્તરણ થઈ રહ્યું છે તેથી જુના મંત્રીઓએ રાજીનામા આપ્યાં હતા. નવા મંત્રીઓ મંગળવારે સાંજે 5 વાગ્યે રાજભવન ખાતે શપથ લેશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.