બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'મેં ક્યારેય કીધું કે મારે મહંત થાવું છે?' સતાધાર ધામના વિવાદ પર નરેન્દ્ર સોલંકીનો ખુલાસો
Last Updated: 03:21 PM, 5 January 2025
જુનાગઢના સતાધાર મંદિરનાં મહંતને બદનામ કરવાનો કેસ મામલે સતાધાર ધામનાં વહીવટમાં ઘૂસવા ભાજપના નેતા નરેન્દ્ર સોલંકીએ પત્ર લખ્યો હતો. નરેન્દ્ર સોલંકીએ વિજય બાપુને લખેલો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. 22 ડિસેમ્બર 2024 ના દિવસે લખાયેલો પત્ર વાયરલ થયા બાદ ખળભળાટ મચી જવા પામ્યો હતો. તેમજ પત્રમાં સતાધાર ટ્રસ્ટ તેમજ ગૌશાળા ટ્રસ્ટમાં પોતાને સામેલ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. જીવરાજબાપુના વારસદાર તરીકે નરેન્દ્ર સોલંકીએ પોતાને સ્થાન મળે તેવી માંગ કરી હતી. સતાધારનાં વહીવટ માટે 10 મોટી જગ્યાના મહંતોના નામ લખી તેમને સામેલ કરવા જણાવ્યું હોવાનો ખુલાસો થયો હતો.
ADVERTISEMENT
આ વિવાદ સત્તાધારની જગ્યાનો નથીઃ નરેન્દ્ર સોલંકી
ADVERTISEMENT
સતાધાર વિવાદમાં નરેન્દ્ર સોલંકીની એન્ટ્રીને લઈ મોટો ખુલાસો થયો છે. આપા ગીગા ઓટલોનાં મહંત નરેન્દ્ર સોલંકીએ પત્ર લખ્યો હતો. સતાધાર વિવાદમાં નરેન્દ્ર સોલંકીએ ટ્રસ્ટ્રી બનવા પત્ર લખ્યો હતો. સતાધાર ટ્રસ્ટ અને ગૌશાળામાં ટ્રસ્ટી બનવા માટે પત્ર લખ્યો હતો. પત્રમાં 11 જેટલા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વિવાદ સત્તાધાર વિવાદનો છે નહી. આ વિવાદ વિજય ભગત, ગીતા બહેન અને શ્રદ્ધાળુઓ વચ્ચે છે. આ વિવાદ સત્તાધારની જગ્યાનો નથી.
વધુ વાંચોઃ વિદ્યાર્થીઓને શાળામાં મોબાઈલ લઈ જવા પર લાગી શકે પ્રતિબંધ, શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન
ADVERTISEMENT
વિજય ભગત પર ચારિત્ર્યના આક્ષેપો થાય છેઃ નરેન્દ્ર સોલંકી
નરેન્દ્રભાઈએ કહ્યું હતું કે, જે પત્ર વાઈરલ છે તે મારા દ્વારા લખવામાં આવ્યો છે. લોકોએ જેમની પર આક્ષેપો થયા છે. તો બીજા કોઈએ આ મામલે જવાબ આપવો જોઈએ નહી. ગીતા બહેને મળવા માટે મને ફોન કર્યો હતો. તમારી દીકરી છું તેમ કહી મળવા માટે બોલાવ્યા હતા. વિજય ભગતે મારો ઘણો ગેરઉપયોગ કર્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.