બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / Politics / mumbai maharashtra assembly election 2019 shiv sena hardend stance sanjay raut says alliance with bjp
ADVERTISEMENT
.jpg)
શિવસેના બરાબરીનો દરજ્જો ઇચ્છે છે
ADVERTISEMENT
સંજય રાઉતે કહ્યું કે, 144 બેઠકો નહીં મળે તો બીજેપીની સાથે વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન પણ નહીં કરવામાં આવે. નોંધનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ 288 બેઠકો છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપી અને શિવસેના વચ્ચે રાજ્યમાં બેઠકની વહેંચણીને લઇને સ્થિતિ સ્પષ્ટ થતી દેખાઇ રહી નથી. મીડિયા રિપોર્ટ અનુસાર, બીજેપી-શિવસેના ગઠબંધનમાં ભાજપ મોટા ભાઇની ભૂમિકા નિભાવવા ઇચ્છે છે. જ્યારે, શિવસેના બરાબરીનો દરજ્જો ઇચ્છે છે. એવામાં બંને પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણીને લઇને ખેંચતાણ જોવા મળી રહી છે.
50-50 ફોર્મૂલા પર અડગ શિવસેના
ADVERTISEMENT
સંજય રાઉત પહેલા મહારાષ્ટ્રના મંત્રી અને શિવસેના નેતા દિવાકર રાઉતે કહ્યું હતું કે 144 બેઠકો ન મળવા પર બીજેપીની સાથે ચૂંટણી ગઠબંધન તુટી શકે છે. તેના પર પ્રતિક્રિયા આપતા સંજય રાઉતે કહ્યું, 'જ્યારે અમિત શાહ, અને મુખ્યમંત્રી (દેવેન્દ્ર ફડણવીસ) વચ્ચે વાતચીત દરમિયાન 50-50ની ફોર્મૂલા અપનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો આ નિવેદન ખોટુ નથી. ચૂંટણી સાથે લડીશું, કેમ નહીં લડીએ.'

ADVERTISEMENT
રામ મંદિર બનાવવાની માંગ કરી
બેઠક વહેંચણી પહેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અનુચ્છેદ 370ને લઇને કેન્દ્ર સરકારની પ્રશંસા કરી હતી. સાથે જ એમણે રામ મંદિર બનાવવાની માંગ કરી હતી. એમણે કહ્યું હતું કે હવે રામ મંદિર માટે રાહ જોવાનો કોઇ અર્થ નથી. ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું કે અમે શિવસેના કાર્યકર્તાને કહ્યું છે કે એમણે તૈયાર રહે. હવે સમય આવી ગયો છે કે રામ મંદિરની આધારશિલા અયોધ્યામાં રાખવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.