ભારતમાં એક તરફ મોબ લિંચિંગ, અસહિષ્ણુતા અને સાંપ્રદાયિક્તાને લઈને ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આ સુંદર ઘટના ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ સમાન છે. અનેકતામાં એકતા આપણી ઓળખાણ છે અને કેરલનાં કોઝિકોડે દુનિયાને આનું એક સુંદર ઉદાહરણ પુરુ પાડ્યું છે. કોઝિકોડમાં એક સુંદર ઘટનાં બની છે જાણો કેમ..
એક હિંદુ દીકરીનાં લગ્નમાં જોડાવા મુસ્લિમ ભાઈઓએ કંઈક આવું કર્યું
કયાં કારણોસર મસ્જિદમાં મોહમ્મદ પૈગમ્બરનો જન્મદિન પર કોઈ સેલિબ્રેશન ન કરાયું
આ ઘટનાં બિનસાંપ્રદાયીક દેશનું આ ઉત્તમ ઉદાહરણ
મુસ્લિમભાઈઓએ હિંદુ દીકરીનાં લગ્ન માટે કંઈક આવું કર્યું
એક જાણીતા ન્યૂઝ પેપરના રિપોર્ટ મુજબ આ પ્રસંગ પેરામ્બરાની પાસે રહેવા ઈડિવેટ્ટીનો છે. અહીની જુમા મસ્જિદ મહલ સમિતિએ મોટું મન રાખીને મિલાદ-ઉન- નબીની ઉજવણી કરી નહોતી. રવિવારે પૈગમ્બર મોહમ્મદના જન્મદિન નિમિત્તે ઉજવણી કરવામાં આવનારી હતી. પરંતુ મસ્જિદની એકદમ સામે એક હિંદુ યુવતીનાં લગ્ન એક જ દિવસે હતાં. જેને લઈને સમિતિએ એક નિર્ણય લીધો કે તેઓ મિલાદ -ઉન- નબીની જગ્યાએ હિંદુ દીકરીનાં લગ્નમાં હાજરી આપીશું.
મસ્જિદની એકદમ સામે પ્રત્યુષાનું ઘર છે
જાણવા મળ્યું છે કે મસ્જિદ સમિતિનાં લોકોએ 22 વર્ષીય પ્રત્યુષા એ.પી.નાં લગ્નમાં ન ફક્ત હાજરી આપી, બલ્કે પરિવારની જેમ કામ પણ કર્યુ. પ્રત્યુષાનાં ઘર અને મસ્જિદની વચ્ચે ફક્ત 4 મીટર પહોળો રસ્તો છે. મસ્જિદની સામે જ પ્રત્યુષાનું ઘર છે અને ત્યાં જ મદરેસા પણ છે.
મહલ સમિતિએ સર્વસમ્મતિથી લીધો આ નિર્ણય
મસ્જિદ મહલ સમિતિનાં સચિવ એનસી અબ્દુરેહમાને જણાવ્યું હતું કે જ્યારે અમને જાણકારી મળી કે મોહમ્મદ પૈગમ્બરનાં જન્મદિને લગ્ન પણ છે. તો અમે સમિતિની બેઠક બોલાવી. લગ્નનાં એક અઠવાડિયા પહેલા થયેલી બેઠકમાં સમિતિનાં તમામ સભ્યોએ સર્વસમ્મતિથી મિલાદ -ઉન- નબીનું સેલિબ્રેશન એક અઠવાડિયા મુલતવી રાખવાનો નિર્ણય કર્યો હતો. સમિતિ હવે 17 નવેમ્બરે સેલિબ્રેશન કરશે.
લગ્નનો ખાસ પ્રસંગ હતો એટલા માટે
મહલ સમિતિના સભ્ય ઓટી બસીર કરે છે કે, સામાન્ય રીતે મિલાદ- ઉન- નબીનાં દિવસે વિદ્યાર્થી ગીત-સંગીતનો કાર્યક્રમ કરે છે. આ રીતની અન્ય સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવે છે. આ રીતે સેલિબ્રેશન કરવામાં આવે છે. એ સ્વાભાવિક છે કે આ સેલિબિરેશન પછીથી પણ મનાવી શકાય છે, જ્યારે કે લગ્ન એક વિશેષ પ્રસંગ છે એમાંય ખાસ કરીને દીકરી આપણી પડોશીમાં રહેતી હોય.
અમને આ વિશે પહેલા કંઈ ખબર નહોતી
બીજી તરફ પ્રત્યુષાનાં ભાઈ પ્રસૂન એપી કરે છે કે જ્યારે લગ્નની તારીખ નક્કી કરવામાં આવી રહી હતી ત્યારે અમને આ ધ્યાનમાં નહોતું રહ્યું કે આજ દિવસે મિલાદ-ઉન- નબી પણ છે. જો અમને પહેલા ખબર હોત કે મહલ સમિતિએ સેલિબ્રેશન મુલતવી રાખ્યું છે તો અમે તેમને કહેતાં કે આપણે આ બન્ને પ્રસંગ સાથે મનાવીએ.
વિદાઈ પહેલા પ્રત્યુષા મહલ સમિતિને મળી
જાણવા મળ્યું છે કે પ્રત્યુષાનાં લગ્નમાં મહલ સમિતિ સાથે જોડાયેલા બાળકોએ જ જમવાનું પિરસ્યું હતું. તેમજ વિદાઈ પહેલા પ્રત્યુષા મહલ સમિતિના સભ્યોને મળીને આભાર વ્યક્ત કર્યો હતો.