બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / moon transit in gemini effects good luck tarus virgo capricorn shubh grah nakshatra

જ્યોતિષ શાસ્ત્ર / વેપારમાં વૃદ્ધિ, શનિદોષથી મુક્તિ..., આજે પુનર્વસુ નક્ષત્ર યોગ, આ 5 રાશિના જાતકો પર થશે ભગવાન વિષ્ણુની અપાર કૃપા

Manisha Jogi

Last Updated: 12:43 PM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુનર્વસુ નક્ષત્રનો શુભ યોગ બની રહ્યો છે. ગુરુ ગ્રહ આ નક્ષત્રના સ્વામી છે, જેને શુભ સમય માનવામાં આવી રહ્યો છે. જેથી શનિવારનો દિવસ પાંચ રાશિના જાતકો માટે શુભ માનવામાં આવી રહ્યો છે.

  • ચંદ્ર મિથુન રાશિમાં પ્રવેશ કરશે
  • પાંચ રાશિના જાતકો માટે શનિવારનો દિવસ શુભ છે
  • ભગવાન વિષ્ણુની સાથે શનિદેવની પણ વિશેષ કૃપા રહેશે

ચંદ્ર બુધ ગ્રહની રાશિ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જેથી પુનર્વસુ નક્ષત્રનો શુભ યોગ બની રહ્યો છે. ગુરુ ગ્રહ આ નક્ષત્રના સ્વામી છે, જેને શુભ સમય માનવામાં આવી રહ્યો છે. જેથી શનિવારનો દિવસ પાંચ રાશિના જાતકો માટે શુભ માનવામાં આવી રહ્યો છે. ભગવાન વિષ્ણુની સાથે શનિદેવની પણ વિશેષ કૃપા રહેશે. 

આ પાંચ રાશિના જાતકોને થશે લાભ
વૃષભ

આ રાશિવા જાતકોના તમામ કામ થવા લાગશે. પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે. બિઝનેસ સાથે જોડાયેલ કામ અટકી ગયા હતા તે ફરી શરૂ થઈ શકે છે. બિઝનેસમાં વૃદ્ધિનો યોગ બની રહ્યો છે. આર્થિક રૂપે સમય વધુ ભારે રહી શકે છે. નાણાંકીય લાભનો યોગ બનશે. જીવનસાથી સાથે સારા સંબંધ રહેશે. મધુરતામાં વૃદ્ધિ થશે અને સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. ભાગ્ય સાથ આપે તે માટે સાંજના સમયે શમીના ઝાડ નીચે સરસિયાના તેલનો દીવો કરો. 

કન્યા
આ રાશિના જાતકો માટે સારો સમય રહેશે. વિદ્યાર્થીઓની એકાગ્રતામાં વૃદ્ધિ થશે, શાનદાર પ્રદર્શન કરી શકશો. નાણાંકીય લાભ થઈ શકે છે. માતા પિતાની સેવા કરવાની તક મળશે. પરિવારનો સહયોગ મળશે. જીવનસાથી સાથે નવી સંપત્તિ ખરીદવાનો યોગ બની રહ્યા છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે 'ॐ प्रां प्रीं प्रौं स: शनिश्चराय नम:' મંત્રજાપ કરો, જેથી લાભ થશે. 

ધન
આ રાશિના જાતકો વિદેશ યાત્રાની કોશિશ કરી રહ્યા છે, સફળતા પ્રાપ્ત થશે. પિતાના આરોગ્યની સમસ્યા પૂર્ણ થશે. પૈતૃક સંપત્તિ મળવાનો યોગ બની રહ્યો છે. માનસિક શાંતિ અને ખુશી મળશે. કાર્યક્ષેત્રે અધિકારીઓનો સાથ અને માનસિક ખુશી મળશે. પ્રિયજનો સાથે ઘરે જવાની તક મળી શકે છે. માનસિક શાંતિ મળે તે માટે શનિવારના દિવસે લોટ, કાળા તલ અને ખાંડ મિશ્ર કરીને કીડીઓને ખવડાવો, જેથી શનિદેવની કૃપા પ્રાપ્ત થશે. 

મકર
સમાજમાં સારી છાપ ઊભી થશે. સામાજિક સંસ્થા સાથે જોડાઈ શકો છો. ઓફિસમાં સફળતા મળી શકે છે. વિદ્યાર્થીઓની પ્રતિભા જોવાની તક મળી શકે છે. કાર્યક્ષેત્રે સફળતા મળી શકે છે. નાણાંકીય સંપત્તિમાં વૃદ્ધિ થશે. વિદેશ જવાની સંભાવના છે. શનિદોષથી મુક્તિ મેળવવા માટે એક વાટકીમાં સરસિયાનું તેલ લો અને તેમાં તમારું મોઢું જોવા. હવે તે સરસિયાના તેલની વાટકીનું દાન કરી દો. આ પ્રકારે કરવાથી શનિદોષથી મુક્તિ મળશે. 

કુંભ
આ રાશિના જાતકો પર શનિદેવની વિશેષ કૃપા રહેશે. જો તમારું કોઈ કામ અટકી ગયું છે, તો તે કામ થઈ જશે. બિઝનેસમાં લાભ થશે. વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. નવી સંપત્તિ ખરીદવાનો યોગ બની રહ્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ