બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / money withdraw from ppf account before know these rules
Bijal Vyas
Last Updated: 05:10 PM, 5 April 2023
Money withdraw from PPF: જો તમે પોતાના પીપીએફ એકાઉન્ટમાંથી વચ્ચે પૈસા ઉપાડવા ઇચ્છો છો, તો પૈસા કાઢતા પહેલા પીપીએફ ખાતાના સંબંધિત ટેક્સ નિયમ જાણી લેવો જોઇએ. કારણ કે પીપીએફ ખાતામાંથી વચ્ચેથી જ પૈસા ઉપાડવા પર તમારુ ઘણુ નુકશાન થઇ શકે છે. તેથી જો કોઇને પૈસાની જરુર પડે તો આ નિયમને ફોલો કરીને પીપીએફ ખાતામાંથી મેચ્યોરિટી પાકતા પહેલા જ પૈસા ઉપાડી શકે છે. પરંતુ વચ્ચેથી ઉપાડેલ પૈસા ટેક્સ હેઠળ ગણવામાં આવી શકે છે.
અત્યારના સમયમાં પબ્લિક પ્રોવિડેંટ ફંડ એટેલે કે PPF સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ લોકો માટે બેસ્ટ ઓપ્શન છે. કારણ કે તેમાં ગ્રાહકોને સારુ વ્યાજ સાથે ટેક્સ પર છૂટનો લાભ મળે છે. તેથી આ સ્કીમમાં મોટાભાગના લોકો રોકાણ કરવાનું પસંદ કરે છે. સરકારની આ યોજનામાં ગ્રાહક કોઇ ચિંતા વિના પોતાના પૈસા રોકાણ કરી શકે છે. આ સ્કિમ હેઠળ 500 રુપિયાથી ખાતા ખોલીને રોકાણની શરુઆત કરી શકાય છે.
7.1 ટકા મળશે ઇન્ટરેસ્ટ રેટ
આ યોજનાની સૌથી ખાસ વાત એ છે કે, આમાં ગ્રાહક હપ્તેથી પૈસા જમા કરાવી શકે છે. જો ગ્રાહક ઇચ્છે તો એક વર્ષમાં વધારેમાં વધારે 1.5 લાખ રુપિયા એક જ વખતમાં રોકાણ કરી શકે છે. આ સ્કીમમાં ગ્રાહકોને 7.1 ટકાના પ્રમાણે વ્યાજ આપવામાં આવશે. જો તમે નવા નાણાંકીય વર્ષમાં રોકાણ કરો છો તો પણ તમને 7.1 ટકાનું વ્યાજ મળશે. કારણ કે સરકારે આ સ્કીમના વ્યાજ દરોમાં કોઇપણ પ્રકારનો બદલાવ કર્યો નથી. આ યોજનાનો લાભ લેવા માટે તમે દેશની કોઇપણ બેંક કે પોસ્ટ ઓફિસમાં જઇને ખાતુ ખોલાવી શકાય છે.
ઉપાડેલા પૈસા પર લાગુ થશે ટેક્સ
જો તમે પીપીએફ એકાઉન્ટની મેચ્યોરિટી પૂરી થયા પહેલા પૈસા ઉપાડવા માંગો છો તો તમારે ઓછામાં ઓછા 7 વર્ષ રાહ જોવી પડશે. આ પહેલા તમે પૈસા ઉપાડી નહીં શકો કારણ કે આ સ્કીમનો લોકિંગ સમય 15 વર્ષનો હોય છે. પીપીએફ ખાતાથી 7 વર્ષ બાદ ફક્ત 50 ટકા પૈસા ઉપાડી શકો છો, પરંતુ ધ્યાન રહે કે વર્ષમાં એક વખત પૈસા ઉપાડી શકાય છે. આ સ્કીમમાં તમે મેચ્યોરિટી પહેલા જે રકમ ઉપાડશો તેની પર ટેક્સ ભરવો પડશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime