બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ધનની સમસ્યા થઈ એક ઝાટકે જશે દૂર! કાર્તિક પૂર્ણિમાં બસ કરો આ કામ

ધર્મ / ધનની સમસ્યા થઈ એક ઝાટકે જશે દૂર! કાર્તિક પૂર્ણિમાં બસ કરો આ કામ

Nirav Kumar

Last Updated: 04:11 PM, 25 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકો આર્થિક સમસ્યાથી પરેશાન રહેતા હોય તેવા લોકોએ આગામી કારતકની પૂર્ણિમા પર નીચે મુજબનો ઉપાય કરવો જોઈએ. તેનાથી લક્ષ્મી માતાના આશીર્વાદ મળે છે.

પૂનમના દિવસને વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાની પૂજા માટે ખાસ દિવસ મનાય છે. હવે આગામી 5 નવેમ્બરના રોજ કારતક પૂર્ણિમા આવવાની છે.  આ દિવસે અમુક ધાર્મિક વિધિઓ કરીને લક્ષ્મી માતાના આશીર્વાદ મેળવી શકાય છે. કાર્તિક પૂર્ણિમા પર સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે.

  • કારતક પૂનમ પર પૂજા વિધિ
    કારતકની પૂનમ પર લક્ષ્મી માતાની પૂજા કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરીને સૂર્યદેવને જળ અર્પણ કરી ॐ घृणिः सूर्याय नमः મંત્રનો જાપ કરવાથી માતાના આશીર્વાદ મળે છે. આ દરમિયાન પૂજા સ્થળને સાફ કરવું તથા ગંગાજળ છાંટી તેના પર સ્વચ્છ લાલ કપડું પાથરવું. અને વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરીને અને ધૂપ, દીવા અને પ્રસાદ ચઢાવવો.

કારતકની પૂનમના દિવસે અમુક લક્ષ્મી મંત્રોનો જાપ કરવાથી લક્ષ્મી માતાના આશીર્વાદ મળે છે. ચાલો તે મંત્રો વિશે જાણીએ.

  1. ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः
  2. ॐ श्री महालक्ष्म्यै च विद्महे विष्णु पत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ॥
vtv app promotion

લક્ષ્મી બીજ મંત્ર
ॐ श्री ह्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्मयै नमः।।

લક્ષ્મી પ્રાર્થના મંત્ર

नमस्ते सर्वगेवानां वरदासि हरे: प्रिया।
या गतिस्त्वत्प्रपन्नानां या सा मे भूयात्वदर्चनात्।।

વધુ વાંચો : પૂજા દરમ્યાન છઠ્ઠી મૈયાને અવશ્ય ધરાવો આ 10 ચીજોનો ભોગ, વધશે સુખ-શાંતિ-સમૃદ્ધિ

  • ધન સંબંધિત સમસ્યા દુર કરવાના ઉપાય
    પૂનમના દિવસે 11 કોડીઓ પર પીસેલી હળદર લગાવો અને લક્ષ્મી માતાની પૂજામાં અર્પણ કરો. ઘીનો દીવો પ્રગટાવી લક્ષ્મી ચાલીસાનો પાઠ કરો. ત્યાર બાદ આ કોડીઓને ધનવાળા સ્થળે કે તિજોરીમાં રાખી દો. તેનાથી તમારી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lakshmi Mata Financial Problems Kartik Purnima
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ